મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ !
Breaking news
Morbi Today

મોરબીમાં ગુજરાત ગેસ કંપની સામે કરેલ કેસમાં ગ્રાહક તકરાર કોર્ટે વ્યાજ-ખર્ચ સહિત રૂપિયા ચૂકવવા કર્યો આદેશ


SHARE











મોરબીમાં ગુજરાત ગેસ કંપની સામે કરેલ કેસમાં ગ્રાહક તકરાર કોર્ટે વ્યાજ-ખર્ચ સહિત રૂપિયા ચૂકવવા કર્યો આદેશ

મોરબીની સેવા ભાવી સંસ્થા પંચમુખી એજયુકેશન ટ્રસ્ટ દ્વારા ગુજરાત ગેસ લીમીટેડે વધારે બીલ આવતાં મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા મોરબી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરતાં ગ્રાહક અદાલતે ગુજરાત ગેસ લી. ૧૦૦૩ (એક હજાર ત્રણ) ૯ ટકાના વ્યાજ તા.૧૫-૯-૨૦૨૧ થી તેમજ પાંચસો રૂપિયા માનસીક ત્રાસના અને એક હજાર ખર્ચ પેટે મંજુર કરેલ મોરબી સીરામીક નગરી છે લોસના નામે બીલમાં કેટલો વધારો કરી ગ્રાહકને આપવામાં આવે છે તેની તપાસ પણ લાલજીભાઈ મહેતા એ માંગેલ છે.

મોરબીની સેવા ભાવી સંસ્થાને ગરીબ-નિરાધાર વ્યકિતને મફત ટીફીન પહોંચાડે છે તેના પ્રમુખ પ્રહલાદસિંહ કે.ઝાલાને ગુજરાત ગેસ લી.કંપનીએ ૨૮૯ યુનીટ ગેસ વાપરેલ તેના બદલે ૩૧૫/૯૯ યુનીટનો વપરાશ બતાવીને રૂા.૧૨,૧૪૭ બીલ આવેલ આ અંગે પ્રહલાદસિંહ ઝાલાએ મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરેલ ગેસ કંપનીની દલીલ હતી કે ૨૮૯ યુનીટ સાચો પણ બીજો ગેસ લોસમાં ગયેલ છે તે ગ્રાહકને ભરવો પડે એવી દલીલ હતી.પરંતુ ગ્રાહક અદાલતે આ દલીલ માન્ય ન રાખતા જે ૨૮૯ યુનીટ દેખાડે છે તેજ બીલ ગ્રાહકે ભરવાનું થાય આ રીતે ગ્રાહક અદાલતે રૂા.૧૦૦૩ (એક હજાર ત્રણ) ૯ ટકાના વ્યાજ સાથે અને રૂા.૫૦૦ માનસીક ત્રાસ બદલ અને રૂા.૧૦૦૦ ખર્ચના તા.૧૫-૯-૨૧ થી ચુકવવાનો આદેશ કરેલ છે.મોરબી માં ઘરે ઘરે અને સીરામીક માં ઘણો બધો ગેસ વપરાય છે લોસ ના નાત્રે ગુજરાત ગેસ કા કેટલા કેટલા બીલ આપે છે તેની પણ તપાસની માંગણી લાલજીભાઇ એ કરેલ છે કોઇપણ સંસ્થા કે અન્ય રીતે અન્યાય થતો હોય તો પ્રમુખ લાલજીભાઇ મહેતા મો.૯૮૨૫૭ ૯૦૪૧૨, ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ મો.૯૩૭૭૪ ૯૯૧૮૫ અથવા મંત્રી રામ મહેતા મો.૯૯૦૪૭ ૯૮૦૪૮ નો સંપર્ક કરવો તેમ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ યાદીમાં જણાવેલ છે.






Latest News