મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીના મકનસર નજીકથી પત્નીની દવા લેવા જતો યુવાન ટ્રક નીચે ચગદાઇ જતાં મોત: અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ


SHARE











મોરબીના મકનસર નજીકથી પત્નીની દવા લેવા જતો યુવાન ટ્રક નીચે ચગદાઇ જતાં મોત: અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર ચોકડી નજીક થોડા દિવસો પહેલા સાંજના સમયે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં બાઇક લઈને જતાં મૂળ યુપીના યુવાનને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો. જો કે, રાજકોટ ખાતે ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવમાં મૃતક યુવાનની પત્નીએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને અજાણ્યા ટ્રક ચાલકેની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર ચોકડી ગોકુલનગર નજીક આવેલ તુલસી પેટ્રોલ પંપની સામેના ભાગે ગઈકાલ તા.૧૩-૩ ના મોડી સાંજના આઠેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો. જે બનાવમાં બાઈક લઈને જઈ રહેલા શૈલેન્દ્રકુમાર માધવપ્રસાદ શાહુ (૩૦) મૂળ રહે. મીરજાપુર ઉત્તરપ્રદેશ હાલ રહે. શેરોન સીરામીક નીલકંઠ ઇન્ડસ્ટ્રીઝ જુના જાંબુડીયા તાલુકો જીલ્લો મોરબી વાળાને કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લીધો હતો જેથી ગંભીરપણે ઘવાયેલ યુવાનને ૧૦૮ વડે સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો ત્યાર બાદ સારવાર માટે તેને રાજકોટ ખસેડાયો હતો ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તે યુવનનું મોત નીપજયું છે હાલમાં આ બનાવમાં મૃતક યુવાનના પત્ની અનુદેવી શૈલેન્દેરકુમાર માધવપ્રસાદ શાહુ જાતે ગુપ્તા (૩૦) રહે. હાલ જામ્બુડીયા ગામની સીમમા આવેલ નિલકંઠ સેનેટરીવેર્સ નામના કારખાનાની લેબર કોલોનીમા મોરબી મુળ  રવિનગર પરાહુપુર તાલુકો મુગલસરાય (ઉત્તરપ્રદેશ) વાળીએ અજાણ્યા ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે વધુમાં ફરિયાદી જણાવ્યુ છે કે, તેની દવા લેવા માટે તેના પતિ શૈલેન્દ્રકુમાર શાહુ જઇ રહ્યા હતા ત્યારે સરતાનપર ચોકડી નજીક અજાણ્યા ટ્રક ચાલકે તેને હડફેટે લેતા તેની કમરથી નીચેનો ભાગ ચગદાઇ જવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા જો કે, તેનું મોત નીપજયું છે હાલમાં પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News