તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

ટંકારામાં સો ચોરસ વાર મફત ઘરથાળના પ્લોટ લાભાર્થીઓને નહિ આપવામાં આવે તો હવે આંદોલન


SHARE











ટંકારામાં સો ચોરસ વાર મફત ઘરથાળના પ્લોટ લાભાર્થીઓને નહિ આપવામાં આવે તો હવે આંદોલન

ટંકારા ગામના ગરીબ, પીડિત, શોષિત અને વંચિત સમાજના અંદાજીત પાંત્રીસ જેટલા લાભાર્થીઓને સો ચોરસ વાર મફત ઘરથાળના પ્લોટ મંજુર થયેલા છે જેને આજ દિન સુધી પ્લોટની ફાળવણી કરવામાં આવતી નથી. અને પછાતવર્ગના લાભાર્થીઓને નીચે ધરતી અને ઉપર આકાશ જેવો ઘાટ છે. વર્ષ- ૨૦૧૨ અને ૨૦૧૭ માં પણ ટંકારાના ગરીબ લાભાર્થીઓને પ્લોટની "સનતો" આપવામા આવી હતી જે આજે પણ લઈને રખડે છે. જેને હજી સુધી પ્લોટ આપવામાં આવ્યા નથી.

જયારે ૨૦૨૪ માં પણ ઝાંઝવાના જળ સમાન લોલીપોપ આપવામા ટંકારા તાલુકા/જીલ્લાનું સરકારી તંત્ર જરાય કચાસ રાખતું નથી. ટંકારાના મોટા બધા "પોત ખરાબા" માં ગામ તળ નીમ કરવાની પ્રક્રિયા પૂરજોશમાં હતી ને બે-ત્રણ વાર પંચરોજ કામ પણ થઈ ગયું છે. તો હવે કયા અટકે છે? શા માટે ગામતળ નીમ કરવામા આવતું નથી? શુ આ ટંકારા ગામના ગરીબ, પીડિત, શોષિત અને વંચિત સમાજના લોકો ભારતના નાગરીક નથી? ક્યારે ન્યાય મળશે?

હાલમાં ટંકારા ગ્રામ પંચાયતને નગરપાલીકા તરીકે જાહેર કરવામાં આવી છે ત્યારે ટંકારાના સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડાએ તાલુકા વિકાસ અધિકારી ટંકારાને અંદાજીત પાંત્રીસ જેટલાં પછાતવર્ગના લાભાર્થીઓને તાકિદે ગામ તળ નિમ કરી સત્વરે સો ચોરસ વારના પ્લોટ ફાળવવા લેખીતમાં રજુઆત કરી છે. જો દિવસ પંદરમા ટંકારા તાલુકા/જીલ્લા કક્ષાએથી પ્લોટ આપવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે બંધારણીય જોગવાઈ મુજબ આંદોલન કરવામા આવશે જેની લેખિતમાં ચીમકી આપવામાં આવી છે. આ તકે સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રતિનિધિ ભાવિનભાઈ, હમીરભાઈ ટોળીયા તેમજ ટંકારાના તમામ લાભાર્થીઓ હાજર રહ્યાં હતાં.






Latest News