મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

ટંકારામાં સો ચોરસ વાર મફત ઘરથાળના પ્લોટ લાભાર્થીઓને નહિ આપવામાં આવે તો હવે આંદોલન


SHARE











ટંકારામાં સો ચોરસ વાર મફત ઘરથાળના પ્લોટ લાભાર્થીઓને નહિ આપવામાં આવે તો હવે આંદોલન

ટંકારા ગામના ગરીબ, પીડિત, શોષિત અને વંચિત સમાજના અંદાજીત પાંત્રીસ જેટલા લાભાર્થીઓને સો ચોરસ વાર મફત ઘરથાળના પ્લોટ મંજુર થયેલા છે જેને આજ દિન સુધી પ્લોટની ફાળવણી કરવામાં આવતી નથી. અને પછાતવર્ગના લાભાર્થીઓને નીચે ધરતી અને ઉપર આકાશ જેવો ઘાટ છે. વર્ષ- ૨૦૧૨ અને ૨૦૧૭ માં પણ ટંકારાના ગરીબ લાભાર્થીઓને પ્લોટની "સનતો" આપવામા આવી હતી જે આજે પણ લઈને રખડે છે. જેને હજી સુધી પ્લોટ આપવામાં આવ્યા નથી.

જયારે ૨૦૨૪ માં પણ ઝાંઝવાના જળ સમાન લોલીપોપ આપવામા ટંકારા તાલુકા/જીલ્લાનું સરકારી તંત્ર જરાય કચાસ રાખતું નથી. ટંકારાના મોટા બધા "પોત ખરાબા" માં ગામ તળ નીમ કરવાની પ્રક્રિયા પૂરજોશમાં હતી ને બે-ત્રણ વાર પંચરોજ કામ પણ થઈ ગયું છે. તો હવે કયા અટકે છે? શા માટે ગામતળ નીમ કરવામા આવતું નથી? શુ આ ટંકારા ગામના ગરીબ, પીડિત, શોષિત અને વંચિત સમાજના લોકો ભારતના નાગરીક નથી? ક્યારે ન્યાય મળશે?

હાલમાં ટંકારા ગ્રામ પંચાયતને નગરપાલીકા તરીકે જાહેર કરવામાં આવી છે ત્યારે ટંકારાના સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડાએ તાલુકા વિકાસ અધિકારી ટંકારાને અંદાજીત પાંત્રીસ જેટલાં પછાતવર્ગના લાભાર્થીઓને તાકિદે ગામ તળ નિમ કરી સત્વરે સો ચોરસ વારના પ્લોટ ફાળવવા લેખીતમાં રજુઆત કરી છે. જો દિવસ પંદરમા ટંકારા તાલુકા/જીલ્લા કક્ષાએથી પ્લોટ આપવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે બંધારણીય જોગવાઈ મુજબ આંદોલન કરવામા આવશે જેની લેખિતમાં ચીમકી આપવામાં આવી છે. આ તકે સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રતિનિધિ ભાવિનભાઈ, હમીરભાઈ ટોળીયા તેમજ ટંકારાના તમામ લાભાર્થીઓ હાજર રહ્યાં હતાં.






Latest News