ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાંથી બોગસ ચલણી નોટો સાથે પકડાયેલ આરોપીને કોર્ટે શંકાનો લાભ આપીને છોડી મૂકયો


SHARE







મોરબીમાંથી બોગસ ચલણી નોટો સાથે પકડાયેલ આરોપીને કોર્ટે શંકાનો લાભ આપીને છોડી મૂકયો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ બોગસ ચલણી નોટોનો ગુન્હા નોંધાયો હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપી મનિષભાઈ મંગળભાઈ દેવળીયાને બોગસ ચલણી નોટોના કેસમાં શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવેલ છે

મોરબી સીટી એ ડીવીઝન તા.૩-૪-૨૦૧૯ ના રોજ આઈ. પી. સી. કલમ ૪૮૯ (ક), (ગ), (ઘ) મુજબની ફરિયાદ આધારે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો અને આરોપીને મોરબીની સેન્ટમેરી સ્કુલ પાસેથી રેલ્વે ફાટક આગળથી પોતાના હવાલા વાળુ મોટર સાયકલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ લઈ પોતાના કબજામાં ભારતીય બનાવટની જાલી નોટો જેમાં ૨૦૦૦ ના દરની ૪૦ નોટ તથા ૧૦૦ દરની ૧૦૦ નોટ કુલ મળી નોટ નંગ ૧૪૦ સાથે મળી આવ્યો હતો અને ભારતીય બનાવટની નોટો બનાવવા માટે અન્ય સાધન સામગ્રીનો ઉપયોગ કરી જાલી નોટો બનાવી પકડાય જતા ગુન્હો કરેલ હતો જેથી તેની તા ૩-૪-૨૦૧૯ ના રોજ અટક કરી હતી અને તા.૪-૪-૨૦૧૯ ના રોજ કોર્ટમાં રજૂ કરીને તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તા. ૨૦-૭-૧૯ ના રોજ સેસન્સ કેસ નં.૭૯/૨૦૧૯ થી સેસન્સ કેસ દાખલ થયેલ છે ત્યારબાદ સેસન્સ કોર્ટમાં કેસ પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સના જજ પી.સી. જોષી સાહેબની કોર્ટમા ચાલી જતા આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ આરોપી મનિષભાઈ મંગળભાઈ દેવળીયાના તરફે એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) તથા એડવોકેટ કુ. મેનાઝ એ.૫૨મા૨ રોકાયેલા હતા. અને બચાવ પક્ષના વકીલ મનિષ પી.ઓઝા (ગોપાલભાઈ ઓઝા) ની દલીલો માન્ય રાખી આરોપીને શંકાનો લાભ આપી પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સના જજએ આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે






Latest News