મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમાંથી બોગસ ચલણી નોટો સાથે પકડાયેલ આરોપીને કોર્ટે શંકાનો લાભ આપીને છોડી મૂકયો


SHARE











મોરબીમાંથી બોગસ ચલણી નોટો સાથે પકડાયેલ આરોપીને કોર્ટે શંકાનો લાભ આપીને છોડી મૂકયો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ બોગસ ચલણી નોટોનો ગુન્હા નોંધાયો હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપી મનિષભાઈ મંગળભાઈ દેવળીયાને બોગસ ચલણી નોટોના કેસમાં શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવેલ છે

મોરબી સીટી એ ડીવીઝન તા.૩-૪-૨૦૧૯ ના રોજ આઈ. પી. સી. કલમ ૪૮૯ (ક), (ગ), (ઘ) મુજબની ફરિયાદ આધારે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો અને આરોપીને મોરબીની સેન્ટમેરી સ્કુલ પાસેથી રેલ્વે ફાટક આગળથી પોતાના હવાલા વાળુ મોટર સાયકલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ લઈ પોતાના કબજામાં ભારતીય બનાવટની જાલી નોટો જેમાં ૨૦૦૦ ના દરની ૪૦ નોટ તથા ૧૦૦ દરની ૧૦૦ નોટ કુલ મળી નોટ નંગ ૧૪૦ સાથે મળી આવ્યો હતો અને ભારતીય બનાવટની નોટો બનાવવા માટે અન્ય સાધન સામગ્રીનો ઉપયોગ કરી જાલી નોટો બનાવી પકડાય જતા ગુન્હો કરેલ હતો જેથી તેની તા ૩-૪-૨૦૧૯ ના રોજ અટક કરી હતી અને તા.૪-૪-૨૦૧૯ ના રોજ કોર્ટમાં રજૂ કરીને તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તા. ૨૦-૭-૧૯ ના રોજ સેસન્સ કેસ નં.૭૯/૨૦૧૯ થી સેસન્સ કેસ દાખલ થયેલ છે ત્યારબાદ સેસન્સ કોર્ટમાં કેસ પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સના જજ પી.સી. જોષી સાહેબની કોર્ટમા ચાલી જતા આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ આરોપી મનિષભાઈ મંગળભાઈ દેવળીયાના તરફે એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) તથા એડવોકેટ કુ. મેનાઝ એ.૫૨મા૨ રોકાયેલા હતા. અને બચાવ પક્ષના વકીલ મનિષ પી.ઓઝા (ગોપાલભાઈ ઓઝા) ની દલીલો માન્ય રાખી આરોપીને શંકાનો લાભ આપી પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સના જજએ આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે






Latest News