તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાંથી બોગસ ચલણી નોટો સાથે પકડાયેલ આરોપીને કોર્ટે શંકાનો લાભ આપીને છોડી મૂકયો


SHARE











મોરબીમાંથી બોગસ ચલણી નોટો સાથે પકડાયેલ આરોપીને કોર્ટે શંકાનો લાભ આપીને છોડી મૂકયો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ બોગસ ચલણી નોટોનો ગુન્હા નોંધાયો હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપી મનિષભાઈ મંગળભાઈ દેવળીયાને બોગસ ચલણી નોટોના કેસમાં શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવેલ છે

મોરબી સીટી એ ડીવીઝન તા.૩-૪-૨૦૧૯ ના રોજ આઈ. પી. સી. કલમ ૪૮૯ (ક), (ગ), (ઘ) મુજબની ફરિયાદ આધારે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો અને આરોપીને મોરબીની સેન્ટમેરી સ્કુલ પાસેથી રેલ્વે ફાટક આગળથી પોતાના હવાલા વાળુ મોટર સાયકલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ લઈ પોતાના કબજામાં ભારતીય બનાવટની જાલી નોટો જેમાં ૨૦૦૦ ના દરની ૪૦ નોટ તથા ૧૦૦ દરની ૧૦૦ નોટ કુલ મળી નોટ નંગ ૧૪૦ સાથે મળી આવ્યો હતો અને ભારતીય બનાવટની નોટો બનાવવા માટે અન્ય સાધન સામગ્રીનો ઉપયોગ કરી જાલી નોટો બનાવી પકડાય જતા ગુન્હો કરેલ હતો જેથી તેની તા ૩-૪-૨૦૧૯ ના રોજ અટક કરી હતી અને તા.૪-૪-૨૦૧૯ ના રોજ કોર્ટમાં રજૂ કરીને તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તા. ૨૦-૭-૧૯ ના રોજ સેસન્સ કેસ નં.૭૯/૨૦૧૯ થી સેસન્સ કેસ દાખલ થયેલ છે ત્યારબાદ સેસન્સ કોર્ટમાં કેસ પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સના જજ પી.સી. જોષી સાહેબની કોર્ટમા ચાલી જતા આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ આરોપી મનિષભાઈ મંગળભાઈ દેવળીયાના તરફે એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) તથા એડવોકેટ કુ. મેનાઝ એ.૫૨મા૨ રોકાયેલા હતા. અને બચાવ પક્ષના વકીલ મનિષ પી.ઓઝા (ગોપાલભાઈ ઓઝા) ની દલીલો માન્ય રાખી આરોપીને શંકાનો લાભ આપી પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સના જજએ આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે






Latest News