ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી : સતવારા સમાજની વાડી ખાતે યોજાયેલ કેમ્પનો ૧૪૦ લોકોએ લાભ લીધો


SHARE











મોરબી : સતવારા સમાજની વાડી ખાતે યોજાયેલ કેમ્પનો ૧૪૦ લોકોએ લાભ લીધો

અહિંના મનીષાબેન મનહરલાલ રાવલના પૌત્ર શ્લોક અને પૌત્રી સ્વરાના જન્મ દિવસ નિમિત્તે તેઓના ફૈબા નિવેદિતા શાસ્ત્રીએ અનેરી ભેટ સ્વરૂપે ડો.હસ્તીબેન મહેતાના ૧૪૦ માં એક દિવસીય કેમ્પનું આયોજન સતવારા સમાજની વાડી રાધે કૃષ્ણ મંદિર પાસે મોરબી ખાતે કરવામાં આવ્યું હતુ.જેમાં દર્દીને વજન કરી, તપાસીને ત્રણ દિવસની દવા તેમજ જરૂરિયાત મૂજબ ૩૦ જેટલા દર્દીઓનું બ્લડ સુગર ટેસ્ટ તેમજ બીપી ફ્રી માં ચેક કરી આપવામાં આવ્યા હતા. સાથોસાથ જયસુખભાઈ ભાલોડિયા દ્વારા વા, સાંધા, કમર, ખભા જેવા હાડકાંના દુઃખવામાં  પોઇન્ટ દ્વારા વિશિષ્ટ પ્રકારની સારવાર કરવામાં આવી હતી.સારવારથી દર્દીઓએ રાહત અનુભવી હતી.કેમ્પના દાતા કુ.નિવેદિતા શાસ્ત્રી તેમજ રાવલ પરિવાર દ્વારા ડો.હસ્તીબેન મહેતાને ચેક અર્પણ કરવામાં આવેલ.કેમ્પને સફળ બનાવવા માટે ભાવેશ ભાઈ કાંઝરિયા, પ્રવીણભાઈ સોનગ્રા, પ્રકાશભાઈ સોનગ્રા, આરતીબેન રત્નાણીએ જહેમત ઉઠાવેલ.કેમ્પ સહાયક તરીકે કોઠારીભાઈ, રશ્મિનભાઈ દેસાઈ, દર્શના ત્રિવેદી, કૌશિકા રાવલ તેમજ ચંદ્રલેખા મેહતાએ સેવા આપી હતી






Latest News