જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

હળવદના સાપકડા ગામે વાડીએ બકરા ચરાવવા બાબતે બોલાચાલી-મારામારી: સામસામે ફરિયાદ


SHARE











હળવદના સાપકડા ગામે વાડીએ બકરા ચરાવવા બાબતે બોલાચાલી-મારામારી: સામસામે ફરિયાદ

હળવદ તાલુકાના સાપકડા ગામે વાડીએ બકરા ચરાવવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ બંને પક્ષેથી મારામારી થઈ હતી જેથી ઇજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા વીજુબેન નાનજીભાઈ નંદેસરીયા જાતે કોળી (૪૦)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભુપતભાઈ કાનજીભાઈ સોરીયા જાતે ભરવાડ અને લખમણભાઇ પાંચાભાઇ ભરવાડ રહે. બંને સાપકડા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, સાપકડા ગામની ડુંગર સીમમાં તેઓની ભાગવી વાવેલ વાડી આવેલ છે અને ત્યાં આરોપીઓ તેમની વાડીમાં બકરા ચરાવતા હોય તેને બકરા ચરાવવાની ના પાડતા આરોપીઓએ ગાળો આપી હતી અને ત્યારે ફરિયાદીની દીકરી ભારતીને ભુપતભાઈ સોરીયાએ તેની પાસે રહેલ કુહાડીના હાથા વડે માથાના ભાગે માર મારતા માથામાં તેને ઇજા થવાથી ટાંકા આવ્યા હતા તેમજ ફરિયાદી મહિલાને કુવાડીના લાકડીના હાથા વડે ડાબા હાથના કાંડામાં મારતા તેને ઈજા થઈ હતી તેમજ લખમણભાઇ ભરવાડે છૂટા પથ્થરના ઘા કરી ફરિયાદીની દીકરી રાધિકાબેનને ડાબા હાથે ઇજા કરી હતી અને વર્ષાને પીઠના ભાગે ઇજા કરી હતી જેથી ભોગ બનેલ ચારેય વ્યક્તિઓને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ વિજુબેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે સામાપક્ષેથી આ બનાવમાં ભુપતભાઈ કાનાભાઈ સોરીયા જાતે ભરવાડ (૪૫)એ રાધિકા નાનજીભાઈ નંદેસરીયા, ભારતી નાનજીભાઈ નંદેસરીયા, વર્ષા નાનજીભાઈ નંદેસરીયા, વિજુબેન નાનજીભાઈ નંદેસરીયા તેમજ વિજુબેનના જમાઈ મેહુલ રહે. બધા સાપકડા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, રાધિકા, ભારતી અને વર્ષાએ ફરિયાદી તથા લક્ષ્મણભાઈને બકરા ચરાવવા બાબતે ગાળો આપી હતી અને ત્યારબાદ વીજુબેને ત્યાં આવી ફરિયાદી અને લખમણભાઇને પથ્થરો મારતા તેઓને ડાબા ખભે, દાઢી તથા હોઠના ભાગે ઇજા થઈ હતી અને ત્યારબાદ મેહુલે ત્યાં આવીને હાથમાં રહેલ છોરીયા વડે ફરિયાદીને ડાબા હાથની કોણીના ભાગે મારતા તેને ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્તને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે હાલમાં ચાર મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News