જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

માળીયા હળવદ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા પાસેથી ૨૩ પાડા ભરેલ આઇસરને ગૌરક્ષકોએ પકડ્યું


SHARE











માળીયા હળવદ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા પાસેથી ૨૩ પાડા ભરેલ આઇસરને ગૌરક્ષકોએ પકડ્યું

માળીયા હળવદ હાઇવે રોડ ઉપર આવેલ અણીયારી ટોલનાકા પાસેથી આઇસર ગાડી પસાર થઈ રહી હતી જે ગાડીને રોકીને ગૌરક્ષકોએ પોલીસને સાથે રાખીને વાહનને ચેક કરતા તેમાંથી કતલખાને લઈ જવામાં આવતા ૨૩ પાડા મળી આવ્યા હતા જેથી કરીને અબોલ જીવ તેમજ વાહન મળીને ૨.૪૬ લાખના મુદામાલને કબજે કરવામાં આવ્યો હતો અને બે શખ્સોની ધરપકડ કરીને તેની સામે હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

કચ્છ બાજુથી અમદાવાદ તરફ કતલખાને અબોલજીવને લઈ જવાના છે તે પ્રકારની હકીકત ગૌરક્ષકોને મળી હતી જેથી માળિયા હળવદ હાઇવે રોડ ઉપર આવેલ અણીયારી ટોલનાકા પાસે ગૌરક્ષકોની ટીમ વોચમાં હતી ત્યારે મળેલ બાતમી મુજબનું આઇસર નંબર જીજે ૧ એચટી ૫૬૧૫ ત્યાંથી નીકળતા તેને રોકીને જરૂરી આધાર પુરાવા, પરમિટ કે પ્રમાણપત્ર હોય તો તેને માંગ્યા હતા ત્યારે તેની પાસે કશું જ હતું નહી જેથી કરીને પોલીસને સાથે રાખીને કાયદેસરની કાર્યવાહી કરી હતી અને આઇસર વાહનમાંથી દોરડા વડે ક્રૂરતાપૂર્વક બાંધેલા ૨૩ પાડા મળી આવતા ૪૬ હજાર રૂપિયાની કિંમતના અબોલજીવ અને બે લાખનું વાહન આમ કુલ મળીને ૨.૪૬ લાખના મુદામાલ સાથે આઇસરના ડ્રાઇવર જાવેદ ઝાકીર શાહ જાતે મુસ્લિમ (૨૬) અને સફાન ઇરફાન છીપા જાતે મુસ્લીમ (૨૪) રહે. બંને રામ રહીમ ટેકરો નગીના મસ્જીદ ગલી-૧૧ બેહ્રામપુરા અમદાવાદ વાળા મળી આવ્યા હતા જે બંને શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News