મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ
Breaking news
Morbi Today

લોકસભાની ચૂંટણીમાં નામ જાહેર થયા બાદ સાંસદ વિનોદભાઈ ચાવડાનો મોરબી ખાતે ભવ્ય રોડ શો-સભા યોજાઈ : ઠેર ઠેર સ્વાગત


SHARE







લોકસભાની ચૂંટણીમાં નામ જાહેર થયા બાદ સાંસદ વિનોદભાઈ ચાવડાનો મોરબી ખાતે ભવ્ય રોડ શો-સભા યોજાઈ : ઠેર ઠેર સ્વાગત

કચ્છ મોરબીના સાંસદ અને આગામી લોકસભાની ચૂંટણીના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા આજે મોરબીના આંગણે આવ્યા હતા ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય સહિતના ભાજપ પરિવારના લોકો દ્વારા તેમનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોરબીના સનાળા રોડ ઉપરથી રેલી યોજાઇ હતી.

આગામી લોકસભાની ચૂંટણી જાહેર થવાની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા સમગ્ર દેશની અંદર ૧૯૦ કરતાં વધુ બેઠકો ઉપર તેના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે જેમાં કચ્છ મોરબી બેઠકના ઉમેદવાર તરીકે કચ્છના વર્તમાન સાંસદ વિનોદભાઈ ચાવડાનું ભાજપના ઉમેદવાર તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે અને તેઓનું નામ જાહેર કરવામાં આવ્યા બાદ આજે તેઓ પ્રથમ વખત મોરબીના આંગણે આવ્યા હતા ત્યારે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરથી લઈને મોરબીના વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપ સુધી વિશાળ રેલી યોજાઇ હતી જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા અને નરેન્દ્રસિંહ ઝાલા મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઇ સદાતીયા, મોરબી શહેર યુવા ભાજપના પ્રમુખ જયદીપભાઇ કંડિયા, મોરબી શહેર ભાજપના મહામંત્રી રસિકભાઈ કૈલા અને ભાવેશભાઈ કંઝારીયા, સહિત ભાજપ પરિવારના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા અને સનાળા રોડથી લઈને ઉમા ટાઉનશીપ સુધીના રસ્તા ઉપર જય શ્રી રામના નારા મુંજી ઉઠ્યા હતા અને ખાસ કરીને વિનોદભાઈ ચાવડાએ તેઓને ત્રીજી વખત સાંસદની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે વિકાસના કામો કરવામાં આવ્યા છે તેને ધ્યાને રાખીને જંગી બહુમતી સાથે તેઓ આ બેઠક ઉપરથી ચૂંટાય આવશે અને દેશમાં ત્રીજી વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.






Latest News