મોરબીથી રાજકોટ સારવારમાં લઈ જવાતી ટંકારાની મહિલાનુ એમ્બ્યુલન્સમાં ચાલુ સારવારે મોત
મોરબીના ભડીયાદ ગામે કોઇ કારણોસર પરિણીતાએ અંતિમ પગલું ભર્યું
SHARE
મોરબી નજીકના ભડીયાદ ગામે રામદેવપીરનો ઢોરો વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃત દેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી ત્યાર બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગત મોરબી નજીકના ભડીયાદ ગામે રામદેવપીરનો ઢોરો વિસ્તારમાં રહેતા મંજુલાબેન વલ્લભભાઈ ચૌહાણ (૩૮) નામની મહિલા પોતે પોતાના ઘરે હતી ત્યારે કોઈ કારણોસર તેણે ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે મહિલાના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે મહિલા ને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે અને આ મહિલાએ ક્યા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં આગળની તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.