મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કાર અને ઘર પાસેથી બાઈકની ચોરીન ગુનામાં પોલીસે ચોરાઉ મુદામાલ સાથે આરોપીને દબોચ્યો મોરબીમાં નવયુગ ગ્રૂપે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓનું હર્ષ અને ઉમંગથી કર્યું સ્વાગત મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા મોરબીના વાવડી રોડે રહેતા વૃદ્ધાને મરવા મજબુર કરવાના કેસમાં ૩ મહિલા સામે કાર્યવાહી, ૩ ને શોધવા કવાયત મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શુભારંભ કરાયો હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી કરાશે મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સમીક્ષા બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા આઠમો સમૂહ લગ્નોત્સવ યોજાયો


SHARE











મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા આઠમો સમૂહ લગ્નોત્સવ યોજાયો

છેલ્લા સાત વર્ષથી મોરબી શહેરની અંદર વિધવા બહેનોના સંતાનોના લગ્ન કરાવતી શ્રી ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા ૨૭૫ દીકરીઓને સ્વસુરગૃહે વળાવ્યા બાદ બીજી ૧૦ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ૭૯  પ્રકારની જીવન જરૂરીયાતની વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવેલ હતી. જેમાં સોના ચાંદીથી લઈ અને કબાટ પલંગ ગાદલા રસોડાની તમામ ચીજ વસ્તુઓ આપવામાં આવેલ હતી આ ઉપરાંત આ દીકરીઓને પગભર થવા માટે ફ્રી માં સીવણ ક્લાસની વ્યવસ્થા કરી આપવામાં આવશે. અને સિલાઈ કામ શીખી લીધા બાદ સિલાઈ મશીન આપવામાં આવશે. અને ફ્રી માં બ્યુટી પાર્લરના કોર્સ  કરાવવામાં આવશે અને શીખી લીધા બાદ ફ્રી માં કીટ આપવામાં આવશે. આ સમૂહલગ્નના કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા હાજર રહ્યા હતા તેઓએ ગંગા સ્વારૂપ સહાય સમિતિને કહેલ કે, દર મહિને બે, ચાર લગ્નો જો કરવા માગતા હો તો ઉમા ટાઉન શિપમાં જમણવાર સહિત કરી આપશે. આ પ્રસંગે ચંદ્રકાન્તભાઈ દફતરીએ નવ દંપતીને ભ્રુણ હત્યા નહીં કરીએ તેવા સપથ લેવડાવેલ હતા. અને કોઈ એક જરૂરિયત મંદ દીકરીના લગ્નમાં સહાય રૂપ થવા સમજાવેલ હતા. આ સમૂહલગ્ન શ્રી હનુમાનજી મંદિર, રણછોડનગરમાં મહંતશ્રી બાબુભાઇની દેખરેખ હેઠળ યોજવામાં આવેલ હતો. આ પ્રસંગે તમામ દાતાઓનું સન્માન કરવામાં આવેલ હતું. અને આ તકે લાયન્સ પ્રમુખ પિયુષભાઇ સાણજા, લાયન ત્રિભોવનભાઈ ફુલતરીયા, તુષાર દફતરી વિગેરે અન્ય લાયન્સ કલબોના સભ્યો હાજર રહેલ હતા. અંતમાં ગંગા સ્વારૂપ સહાય સમિતિના પ્રણેતા દેવકરણભાઈ  આદ્રોજાએ કહ્યું હતું કે, હવે સમગ્ર સમાજ માટે ચિંતનનો વિષય છે કે લગ્નો પાછળ બિન જરૂરી ખર્ચનો ઘટાડો કરે અને આવા સમૂહ લગ્નોમાં જોડાઇ અને સમાજને નવી દિશા બતાવે તે અનિવાર્ય છે






Latest News