વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

માળિયા-વનાળિયા પંચાયત વિસ્તારમાં પાણીની સમસ્યા ન ઉકેલતા સરપંચ અને સભ્યોની આત્મવિલોપનની ચીમકી


SHARE











માળિયા-વનાળિયા પંચાયત વિસ્તારમાં પાણીની સમસ્યા ન ઉકેલતા સરપંચ અને સભ્યોની આત્મવિલોપનની ચીમકી

મોરબી નજીક આવેલ માળિયા વનાળિયા પંચાયતના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી આવતું નથી જેથી કરીને તેની અનેક વખત રજુઆત કરી છે તો પણ પ્રશ્ન ઉકેલાયેલ નથી જેથી કરીને સરપંચ, ઉપસરપંચ અને સભ્યોએ કલેકટર કચેરી ખાતે સામુહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયા વનાળીયા ગામના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે તેને ઉકેલવા માટે વારંવાર રજૂઆત કરેલ છે તો પણ પાણીનો પ્રશ્ન ઉકેલતો નથી અને સરકાર દ્વારા હર ઘર નલ, હર ઘર જલ, યોજના અમલમાં મૂકવામાં આવેલ છે તો પણ લોકોને પાણી માટે હેરાન થવું પડે છે આ ગ્રામ પંચાયત વિસ્તારમાં ૭૦૦ જેટલા લોકો હાલમાં રહે છે અને ત્યાં લોકોને પાણીની પ્રાથમિક સુવિધા મળી રહી નથી. અને અધિકારીઓએ વારંવાર કરવામાં આવેલ રજૂઆતને ધ્યાને લઈને કામ કરી રહ્યા નથી જેથી કરીને આ ગામના સરપંચ, ઉપસરપંચ, ચેરમેન તેમજ પંચાયતના તમામ સભ્યોએ આગામી તા ૨૬ ને સોમવારના રોજ કલેક્ટર કચેરી ગ્રાઉન્ડમાં સવારે ૧૧ વાગ્યે સામૂહિક આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News