મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળિયા-વનાળિયા પંચાયત વિસ્તારમાં પાણીની સમસ્યા ન ઉકેલતા સરપંચ અને સભ્યોની આત્મવિલોપનની ચીમકી


SHARE











માળિયા-વનાળિયા પંચાયત વિસ્તારમાં પાણીની સમસ્યા ન ઉકેલતા સરપંચ અને સભ્યોની આત્મવિલોપનની ચીમકી

મોરબી નજીક આવેલ માળિયા વનાળિયા પંચાયતના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી આવતું નથી જેથી કરીને તેની અનેક વખત રજુઆત કરી છે તો પણ પ્રશ્ન ઉકેલાયેલ નથી જેથી કરીને સરપંચ, ઉપસરપંચ અને સભ્યોએ કલેકટર કચેરી ખાતે સામુહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયા વનાળીયા ગામના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે તેને ઉકેલવા માટે વારંવાર રજૂઆત કરેલ છે તો પણ પાણીનો પ્રશ્ન ઉકેલતો નથી અને સરકાર દ્વારા હર ઘર નલ, હર ઘર જલ, યોજના અમલમાં મૂકવામાં આવેલ છે તો પણ લોકોને પાણી માટે હેરાન થવું પડે છે આ ગ્રામ પંચાયત વિસ્તારમાં ૭૦૦ જેટલા લોકો હાલમાં રહે છે અને ત્યાં લોકોને પાણીની પ્રાથમિક સુવિધા મળી રહી નથી. અને અધિકારીઓએ વારંવાર કરવામાં આવેલ રજૂઆતને ધ્યાને લઈને કામ કરી રહ્યા નથી જેથી કરીને આ ગામના સરપંચ, ઉપસરપંચ, ચેરમેન તેમજ પંચાયતના તમામ સભ્યોએ આગામી તા ૨૬ ને સોમવારના રોજ કલેક્ટર કચેરી ગ્રાઉન્ડમાં સવારે ૧૧ વાગ્યે સામૂહિક આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે




Latest News