મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

ફાયનાન્સમાં પૈસા ચેકથી ભરવાનો આગ્રહ રાખો, રોકડા પૈસા ભરવાથી ફ્રોડની શક્યતા: લાલજીભાઈ મહેતા


SHARE











ફાયનાન્સમાં પૈસા ચેકથી ભરવાનો આગ્રહ રાખો, રોકડા પૈસા ભરવાથી ફ્રોડની શક્યતા: લાલજીભાઈ મહેતા

મકાન લોન લેતા પહેલાં ગ્રાહક ધ્યાન રાખે પચ્ચીસ લાખનુ મકાન ફાયન્સવાળા દશ લાખમાં જપ્ત કરી શકે છે અને ફાયનાન્સમાં પૈસા ચેકથી ભરવાનો આગ્રહ રાખો રોકડા ભરવાથી ફ્રોડ થવાની સંભાવના રહેશે આ અંગે ઉચ્ચકક્ષાએ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ રજુઆત કરેલ છે

આજકાલ ગુજરાતમાં એટલી બધી ફાયનાન્સ કંપનીઓ આવી રહી છે કે વાતપુછોમાં સમગ્ર ગુજરાતમાં બ્રાંચ હોય પણ તેની હેડ ઓફિસ ચેન્નાઈ, બેંગ્લોર, રાજકોટ, અમદાવાદ, વડોદરા કે અન્યત્ર હોય છે અહીં તો ફકત હપ્તા લેવા વાળા બેસાડતા હોય તેવુ જણાય છે.તમારૂ પચ્ચીસ લાખનુ મકાન હોઈ અને તમારે દશ લાખની લોન જોઈતી હોય તો આપે નિયમ પ્રમાણે લોન મકાન ઉપર લેવામાં આવે તો ગ્રાહક મરણ પામે તો વીમો મળે પરંતુ ઘણા કિસ્સામાં વીમો લેતા નથી મકાન ઘણા મરણ પામે એટલે વીમા કંપની વીમો મળશે... મળશે... કહીને સમય કાઢે છે અને વ્યાજ નુ વ્યાજ ચડતુ જાય છે કમનશીબી ગ્રાહકની ત્યાં છે કે પહેલાં તમારા મકાને શીલ મારવું હોય તો કલેકટર કે મામલબેરની હાજરીમાં મારતા હાલે બધી ફાયન્સ કંપની ભેગી થઇ હાઈકોર્ટ માંથી અધિકાર લઇ આવેલ છે કે સમય મર્યાદા માં પૈસા નો ભરેતો તમારૂ કિંમતી મકાન જપ્ત કરી લે છે. સમય કાઢીને દશ લાખના વીસ લાખ વ્યાજ સાથે કાઢે છે અને કેટલાય વીધવાના મકાન જપ્ત કરી લે છે ગુજરાતના નાણાં મંત્રાલય અને પોલીસ ખાતાએ આ બાબત તપાસ કરવી જરૂરી છે ધણાં ગ્રાહકો રોકડા પૈસા ફાયનાન્સમાં ભરવા જાય છે અને ફાયનાન્સમાંથી સહી સીકકા વાળી પહોંચ આપે છે પરંતુ ફાયનાન્સ શું કહે છે ઇ માણસ નોકરી છોડી ચાલીયો ગયો છે રકમ નથી ભરી તમે વ્યાજ સાથે ભરો ગ્રાહક સામે ઉઘાડી લુંટ થતી હોઈ તેવી ચર્ચા થાય છે ફાયનાન્સ ના ત્રાસ થી ગુજરાત સરકાર અને પોલીસ ખાતાએ આ બાબતમાં રસ લેવો જોઇએ તેવુ પ્રજાજનોમાં ચર્ચાઇ રહ્યુ છે તેમ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે જણાવ્યુ છે






Latest News