મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં કાલે વેલેન્ટાઇન ડે નહીં માતા-પિતા પૂજન દિવસ ઉજવાશે 


SHARE











મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં કાલે વેલેન્ટાઇન ડે નહીં માતા-પિતા પૂજન દિવસ ઉજવાશે 

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં માતા-પિતા પૂજન દિવસ અને સૂર્ય નમસ્કાર દિવસની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આવતી કાલે તા ૧૪ ના રોજ વેલેન્ટાઇન ડે નહીં પરંતુ માતા પિતા પૂજન દિવસ કરશે તેની સાથે જ મહા સુદ પાંચમ વસંત પંચમી હોવાથી સરસ્વતી પૂજન કરવામાં આવશે તેવી જ રીતે તા ૧૬ ના રોજ સૂર્ય નમસ્કાર દિવસની ઉજવણી કરાશે તેની સાથે મહા સુદ સાતમ, રથ સપ્તમી-આરોગ્ય સપ્તમી, માં નર્મદા જયંતીની તે દિવસે ઉજવણી કરાશે

કાલે ૧૪ ફેબ્રુઆરીના રોજ વિશ્વમાં અલગ અલગ જગ્યાએ જ્યારે વેલેન્ટાઈન ડે ઉજવવાની પરંપરા છે ત્યારે મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં આ દિવસને માતા પિતા પૂજન દિવસ તરીકે ઉજવશે. આ જ દિવસે મહાસુદ પાંચમના રોજ વસંત પંચમી પણ હોય સરસ્વતી મા નુ પૂજન પણ કરવામાં આવશે. અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાનું પૂજન કરશે. તેમજ તા ૧૬ ફેબ્રુઆરીએ મહાસુદ સાતમ એટલે કે રથ સપ્તમી આરોગ્ય સપ્તમી ના દિવસે સૂર્ય નમસ્કાર દિવસ ઉજવવાની પરંપરા છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓ સૂર્ય નમસ્કાર કરશે 






Latest News