મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં કાલે વેલેન્ટાઇન ડે નહીં માતા-પિતા પૂજન દિવસ ઉજવાશે 


SHARE











મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં કાલે વેલેન્ટાઇન ડે નહીં માતા-પિતા પૂજન દિવસ ઉજવાશે 

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં માતા-પિતા પૂજન દિવસ અને સૂર્ય નમસ્કાર દિવસની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આવતી કાલે તા ૧૪ ના રોજ વેલેન્ટાઇન ડે નહીં પરંતુ માતા પિતા પૂજન દિવસ કરશે તેની સાથે જ મહા સુદ પાંચમ વસંત પંચમી હોવાથી સરસ્વતી પૂજન કરવામાં આવશે તેવી જ રીતે તા ૧૬ ના રોજ સૂર્ય નમસ્કાર દિવસની ઉજવણી કરાશે તેની સાથે મહા સુદ સાતમ, રથ સપ્તમી-આરોગ્ય સપ્તમી, માં નર્મદા જયંતીની તે દિવસે ઉજવણી કરાશે

કાલે ૧૪ ફેબ્રુઆરીના રોજ વિશ્વમાં અલગ અલગ જગ્યાએ જ્યારે વેલેન્ટાઈન ડે ઉજવવાની પરંપરા છે ત્યારે મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં આ દિવસને માતા પિતા પૂજન દિવસ તરીકે ઉજવશે. આ જ દિવસે મહાસુદ પાંચમના રોજ વસંત પંચમી પણ હોય સરસ્વતી મા નુ પૂજન પણ કરવામાં આવશે. અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાનું પૂજન કરશે. તેમજ તા ૧૬ ફેબ્રુઆરીએ મહાસુદ સાતમ એટલે કે રથ સપ્તમી આરોગ્ય સપ્તમી ના દિવસે સૂર્ય નમસ્કાર દિવસ ઉજવવાની પરંપરા છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓ સૂર્ય નમસ્કાર કરશે 




Latest News