મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારા નજીક વાડી વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા બાદ મારામારી: ઇજા પામેલા ત્રણ વ્યક્તિ સારવારમાં


SHARE











ટંકારા નજીક વાડી વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા બાદ મારામારી: ઇજા પામેલા ત્રણ વ્યક્તિ સારવારમાં

ટંકારા નજીક આવેલ હોટલ પાસે વાડી વિસ્તારમાં રહેતા પતિ-પત્ની વચ્ચે થયેલ ઝઘડા થયો હતો અને બોલાચાલી થઈ હતી ત્યાર બાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કુલ મળીને ત્રણ વ્યક્તિઓને ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીમાં આવેલ સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા

મોરબી-રાજકોટ હાઇવે ઉપર ખજુરાહો હોટલ પાસે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામકાજ કરતા પરિવારના સભ્યો વચ્ચે કૌટુંબિક ડખ્ખો થયો હતો અને પતિ પત્ની વચ્ચે થયેલ બોલાચાલી બાદ મારામારીના બનેલ બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં દિપક જાદવભાઈ દેલવાણીયા (૧૮) અને કરણ હરજીભાઈ દેલવાણીયા (૧૭) રહે.બંને ગીતા ઓઇલ મીલ નજીક પંચાસર રોડ મોરબી તેમજ રાજકોટ હાઇવે ઉપર આવેલ ખજુરાહો હોટલ પાસે વાડી વિસ્તારમાં રહેતા હિરલબેન રોહિતભાઈ ચારોલીયા દેવીપુજક (ઉમર ૨૦) નામના ત્રણ લોકોને ઇજા થતા ત્રણેયને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે વધુમાં મળતી માહિતી પ્રમાણે પતિ-પત્ની વચ્ચે થયેલ ઝઘડા બાદ બોલાચાલીમાં આ મારામારીનો બનાવ બન્યો હતો.જે અંગે ટંકારા પોલીસ મથકના આઇ.ટી.જામ દ્વારા નોંધ કરીને આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે.

યુવાન સારવારમાં
હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રહેતા રાગેસભાઈ કાનજીભાઈ ખાંભડીયા નામના ૨૮ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઉંદર મારવાની દવા પી લીધી હતી જેથી તેને મોરબીની મંગલમ હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલે પ્રાથમિક તપાસ કરી હતી જેમાં દવા પીવાનો બનાવ ભૂલથી બની ગયો હોવાની કેફિયત ભોગ બનનાર રાકેશભાઈએ જણાવ્યું હતું.






Latest News