મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

વાંકાનેરનાં ઠીકરીયાળા ગામે છૂટા છેડાનું મનદુખ રાખીને દીકરીના પિતાને ચાર શ્ખ્સોએ માર માર્યો


SHARE











વાંકાનેરનાં ઠીકરીયાળા ગામે છૂટા છેડાનું મનદુખ રાખીને દીકરીના પિતાને ચાર શ્ખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાનાં ઠીકરીયાળા ગામે રહેતા આધેડની દીકરીના છૂટા છેડા બાબતે મનદુખ ચાલતું હોય ચાર શખ્સોએ ધોકા અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને આધેડે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મુળ ચોટીલા તાલુકાનાં ઝીંજુડાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાનાં નવા જાંબુડીયામાં રહેતા માલાભાઇ છનાભાઇ પાંચલ (ઉ.૫૦)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીવાભાઇ માલાભાઇ ગોહીલ, ભાનુભાઇ માલાભાઇ ગોહીલ, વિજયભાઇ જીવાભાઇ ગોહીલ અને સંજયભાઇ ભાનુભાઇ ગોહીલ રહે. બધા ઠીકરીયાળા તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરીના છુટા છેડા બાબતે તેઓને આરોપીઓ સાથે મનદુખ ચાલતુ હતું જેનો ખાર રાખીને આરોપી જીવાભાઇ માલાભાઇ ગોહીલ તેઓને લાકડાના ધોકાનો ધા પગના સાથળમા મારી ઇજા કરી હતી તેમજ ભાનુભાઇ માલાભાઇ ગોહીલ અને વિજયભાઇ જીવાભાઇ ગોહીલએ તેને ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો અને ત્રણેય આરોપીઓએ ભુંડા બોલી ગાળો આપી હતી તેમજ આરોપી સંજયભાઇ ભાનુભાઇ ગોહીલએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે હાલમાં પોલીસે આઇ.પી.સી. કલમ ૩૨૩૫૦૪૫૦૬(૨)૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 






Latest News