મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી ભારત વિકાસ પરિષદ દ્રારા બાલ સ્વાસ્થ્ય શિબિર યોજાઇ


SHARE







મોરબી ભારત વિકાસ પરિષદ દ્રારા બાલ સ્વાસ્થ્ય શિબિર યોજાઇ

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા, આઈએમએ-મોરબી તથા એમઓજીએસ દ્વારા  શાળાના બાળકો માટે એક સ્વાસ્થ શિબિરનું આયોજન લખધીરનગર  પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવેયું હતુ.જેમાં કુમારિકાઓને નિઃશુલ્ક હિમોગ્લોબીન તપાસ કરીને દવાઓ આપવામાં આવી હતી.આ શિબિરમાં ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના અધ્યક્ષ ડો.જયેશભાઈ પનારાએ સમતોલ અને પૌષ્ટિક આહાર કેવી રીતે લેવો તેની માહિતી, એનિમિયા થવાના કારણો અને શરીર પર થતી અસરો તથા એનિમિયા નિવારણના ઉપાયોનું હળવી શૈલીમા માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના આ કાર્યક્રમના સંયોજક રાવતભાઈ  કાનગડ ઉપસ્થિત રહયા હતા.લખધીરનગર પ્રાથમિક શાળાના શિક્ષક ભરતભાઈ  કાવરએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.શાળાના તમામ શિક્ષક સ્ટાફ તથા લખધીરનગરના શાળાના વાલીઓ વગેરે ઉપસ્થિત  રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો  હતો.આઈએમએ-મોરબી તથા ડો.વિરલ લહેરૂ (લહેરૂ પેથોલોજી લેબ) એ બાળાઓની નિ: શુલ્ક લોહીનું  પરીક્ષણ કરી આર્થિક સહયોગ આપેલ . કાર્યક્રમની અંતમાં લગધીરનગર  પ્રાથમિક શાળાના સહયોગથી  પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવ્યો  હતો.શાળાના આચાર્ય રાવતભાઈ કાનગડ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.કાર્યક્રમ સફળ બનાવવા રાવતભાઈ  કાનગડ, હિંમતભાઈ મારવાણિયા, ડો.જયેશભાઈ પનારાએ જહેમત ઉઠાવી હતી.






Latest News