જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી ભારત વિકાસ પરિષદ દ્રારા બાલ સ્વાસ્થ્ય શિબિર યોજાઇ


SHARE











મોરબી ભારત વિકાસ પરિષદ દ્રારા બાલ સ્વાસ્થ્ય શિબિર યોજાઇ

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા, આઈએમએ-મોરબી તથા એમઓજીએસ દ્વારા  શાળાના બાળકો માટે એક સ્વાસ્થ શિબિરનું આયોજન લખધીરનગર  પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવેયું હતુ.જેમાં કુમારિકાઓને નિઃશુલ્ક હિમોગ્લોબીન તપાસ કરીને દવાઓ આપવામાં આવી હતી.આ શિબિરમાં ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના અધ્યક્ષ ડો.જયેશભાઈ પનારાએ સમતોલ અને પૌષ્ટિક આહાર કેવી રીતે લેવો તેની માહિતી, એનિમિયા થવાના કારણો અને શરીર પર થતી અસરો તથા એનિમિયા નિવારણના ઉપાયોનું હળવી શૈલીમા માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના આ કાર્યક્રમના સંયોજક રાવતભાઈ  કાનગડ ઉપસ્થિત રહયા હતા.લખધીરનગર પ્રાથમિક શાળાના શિક્ષક ભરતભાઈ  કાવરએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.શાળાના તમામ શિક્ષક સ્ટાફ તથા લખધીરનગરના શાળાના વાલીઓ વગેરે ઉપસ્થિત  રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો  હતો.આઈએમએ-મોરબી તથા ડો.વિરલ લહેરૂ (લહેરૂ પેથોલોજી લેબ) એ બાળાઓની નિ: શુલ્ક લોહીનું  પરીક્ષણ કરી આર્થિક સહયોગ આપેલ . કાર્યક્રમની અંતમાં લગધીરનગર  પ્રાથમિક શાળાના સહયોગથી  પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવ્યો  હતો.શાળાના આચાર્ય રાવતભાઈ કાનગડ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.કાર્યક્રમ સફળ બનાવવા રાવતભાઈ  કાનગડ, હિંમતભાઈ મારવાણિયા, ડો.જયેશભાઈ પનારાએ જહેમત ઉઠાવી હતી.






Latest News