મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં સરકારી જમીન પચાવી પાડવા સબબ કલેકટર-મુખ્યમંત્રી સમક્ષ કરાઈ લેન્ડગ્રેબીંગ દાખલ કરવા માટે અરજી


SHARE







મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં સરકારી જમીન પચાવી પાડવા સબબ કલેકટર-મુખ્યમંત્રી સમક્ષ કરાઈ લેન્ડગ્રેબીંગ દાખલ કરવા માટે અરજી

મોરબીના ખત્રીવાડ શેરી નંબર ૪ માં ત્યાં રહેતા કેટલાક લોકોએ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવેલ હોય તેની સામે જાગૃત નાગરીકે કલેકટર-મોરબી સમક્ષ લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ કરી જવાબદારો સામે ગુન્હો નોંધવા મુખ્યમંત્રી-ગુજરાત રાજય સમક્ષ લેખિત રજુઆત કરવામાં આવેલ છે.

મોરબીમાં ખત્રીવાડ શેરી નંબર ૪ માં સીટીસર્વે કચેરીના વોર્ડ નંબર ૧ માં સમાવેશ થતી આશરે ૪૦૦૦ ફુટ જેટલી વર્ષોથી ખાલી પડેલ આ સરકારી જમીન ઉપર ત્યાં બાજુમાં રહેતા આસામીઓ દ્રારા બળજબરીપૂર્વક કબ્જો કરીને મકાન બાંધીને તે મકાન ભાડે આપી તથા જાહેર રસ્તાઓનું દબાણ કરવામાં આવેલ જાગૃત નાગરીક તરફથી અવાર-નવાર તે અંગે મોરબી નગરપાલીકા સમક્ષ રજુઆત કરતા દબાણ કરતા જવાબદાર તત્વો સામે કોઈ જ પગલા લેવાયેલ નહિ..!! અને લેભાગુ તત્વો દ્વારા જાગૃત નાગરીકને બેફામ ગાળો આપીને તેમના પરીવારના સભ્યો ઉપર હુમલો કરીને જાગૃત નાગરીકની જ મિલ્કત પચાવી પાડવા અંગે ગર્ભિત ધમકીઓ આપવામાં આવતા આખરે નાછુટકે દબાણકર્તાઓને અટકાવવા તથા સરકારી જમીનનો કબજો ખાલી કરાવવા તથા જવાબદાર તમામ તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરી સખ્ત નસિહત અપાવવા મોરબીના જાગૃત નાગરીક તરીકે દિલીપીગીરી ગૌસ્વામીએ સરકાર વતી ફરીયાદી બનીને મોરબી કલેકટર સમક્ષ ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ હેઠળ સામાવાળા સુરેશભાઇ ગોવિંદસિંહ રાઠોડ તથા અન્ય દબાણકર્તાઓની સામે પગલા લેવા માટે અરજી નંબક ૪૨૮૦૦૨૩૦૦૦૮૫૦૭ થી ફરીયાદ દાખલ કરેલ છે અને તે ફરીયાદના કામે જો તટસ્થ તપાસ કરવામાં આવે તો વધુ તત્વોના નામ ખુલ્લે તેવા પુરતા સંજોગો છે અને તે તમામ જવાબદાર દબાણ કરનારાઓ સામે ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ હેઠળ અરજી નંબર ૪૨૮૦૦૨૩૦૦૦૮૫૦૭ ને અરજીમાં પક્ષકાર તરીકે જોડી તમામ દબાણકર્તાઓની સામે ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ હેઠળ ધોરણસર ગુન્હો નોંધવા જાગૃત નાગરીક દિલીપગીરી ગૌસ્વીમી દ્રારા કલેકટરને તેમજ મુખ્યમંત્રી ગુજરાત રાજય ગાંધીનગર ખાતે રજુઆત કરવામાં આવેલ છે.






Latest News