મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો
Breaking news
Morbi Today

હળવદ તાલુકાના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીના શરતી રેગ્યુલર જામીન મંજૂર


SHARE











હળવદ તાલુકાના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીના શરતી રેગ્યુલર જામીન મંજૂર

હળવદ તાલુકા પોલીસ સ્ટેશમાં નોંધાયેલા અપહરણ અને પોકસોના ગુનામાં પકડાયેલા આરોપીએ રેગ્યુલર જામીન માટે એડવોકેટ મારફતે કોર્ટમાં અરજી કરી હતી જેમાં એડવોકેટ દ્વારા કરવામાં આવેલ દલીલ અને જુદીજુદી કોર્ટના ચુકાદાને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે

આ કેસની ટૂંકી વિગત આપતા વકીલે જણાવ્યુ હતું કે, હળવદ પોલીસે આરોપી કલ્પેશભાઈ રમશેભાઈ નાયક રહે. અણીયાદ બીલીયા બેડા ફળીયુ તાલુકો શહેરા જિલ્લો પંજાબ વાળા ની આઇપીસી કલમ ૩૬૩, ૩૭૬ (૩), ૧૧૪, ૩૭૬ (૨) (જે) (એન), તથા પોકસો એકટ ની કલમ ૪, ૫ (એલ), , ૧૭ મુજબ ના ગુન્હાના કામે ધરપકડ કરી હતી અને આરોપીને મોરબીની સેશન્સ કોર્ટમાં રજુ કરીને ત્યારથી જયુડી. કસ્ટડીમાં જેલ હવાલે કરેલ હતો અને ત્યારબાદ ચાર્જશીટ રજુ થતા જેના પોકસો કેશ નં. ૧/૨૪ થી સ્પે. પોકસો કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયેલ છે ત્યારબાદ જામીન અરજી કરતા આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબીના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશની ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ સમક્ષ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીનની અરજી કરી હતી જેમાં એડવોકેટ મનિષ પી .ઓઝા (ગોપાલ ઓઝા)એ સુપ્રીમ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ કરી હતી તેને ધ્યાને લઈને જજ ડી.પી. મહીડા સાહેબ એ આરોપી કલ્પેશભાઈ રમશેભાઈ નાયકને ૨૫,૦૦૦ ના જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપીના એડવોકેટ તરીકે મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા મેનાજબેન પરમાર રોકાયેલ હતા






Latest News