ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી પાલિકાએ ધ્યાન ન આપતા સિનિયર સિટીઝનોએ હાથમાં ઉપાડ્યા કુહાડી, ત્રિકમ અને પાવડા !


SHARE











મોરબી પાલિકાએ ધ્યાન ન આપતા સિનિયર સિટીઝનોએ હાથમાં ઉપાડ્યા કુહાડી, ત્રિકમ અને પાવડા !

મોરબીના નવલખી રોડ ઉપરની રેલ્વે ફાટકથી પરશુરામ મંદિર સુધી રોડની સાઇડમાં બાવળ અને કચરાના ઢગલા છે જેથી વડીલો સહિતના લોકોને અવાર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે માટે પાલિકામાં અનેક વખત જંગલ કટિંગ અને સફાઈ માટે રજૂઆત કરવામાં આવી હતી જો કે, કામ કરવામાં આવ્યું ન હતું માટે આજે સિનિયરોએ હાથમાં કુહાડી, ત્રિકમ અને પવડા ઉપાડ્યા હતા ને રોડ ઉપર સફાઈ કરી હતી..!

મોરબીમાં સિનીયર સીટીઝન સંસ્થાના વડીલો દ્વારા આજ યુવાનોને પણ શરમાવે તેવી કામગીરી કરવામાં આવી હતી અને મોરબીના નવલખી રોડ ઉપરની રેલ્વે ફાટકથી પરશુરામ મંદિર સુધી આવતા રોડ પર બંને બાજુએ કચરાના ઢગલા અને બાવળ ઊગી નીકળેલ છે જેથી કરીને સિનિયરો અને ગામડે આવતા જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે જેથી કરીને આજે મોરબીમાં સિનીયર સીટીઝન સંસ્થા પ્રમુખ ડો.બો.કે. લહેરુ, પૂર્વ પ્રમુખ પ્રવિણભાઇ મહેતા, મંત્રી મહેશભાઇ ભટ્ટ તેમજ ભૂપતભાઇ પંડ્યા સહિતનાઑની આગેવાનીમાં સિનીયર સીટીઝન સંસ્થાના સભ્યો દ્વારા સમૂહમાં સાફ સફાઈ માટેનો કાર્યક્ર્મ રાખવામા આવેલ હતો અને મોટાભાગના સભ્યો આ સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા અત્રે ઉલેખનીય છે કે, અગાઉ આ કામ માટે પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સહિતના જવાબદાર અધિકારી અને કર્મચારીઓને રાજુઆતો કરવામાં આવી હતી તો પણ કોઈ કામ કરવામાં આવ્યું ન હોવાથી આજે મોરબીમાં સિનીયર સીટીઝન સંસ્થાના વડીલો દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરીને બાવળ કાપીને કચરાને દૂર કરીને રસ્તો સાફ કરવામાં આવ્યો હતો અને આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ જ રાખવામા આવશે॰






Latest News