મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં પતંગની દોરીથી ૧૩૦ થી વધુ પક્ષી ઘાયલ: ૮ જેટલા પક્ષીના મોત


SHARE







મોરબીમાં પતંગની દોરીથી ૧૩૦ થી વધુ પક્ષી ઘાયલ: ૮ જેટલા પક્ષીના મોત

મકરસંક્રાંતિના દિવસે લોકો પતંગ ચગાવવામાં વ્યસ્ત હતા ત્યારે પતંગની દોરી વાગવાથી ઘણા પક્ષીઓ ઘાયલ થાય હતા જો વાત કરીએ મોરબીની તો કર્તવ્ય જીવદયા કેન્દ્ર અને સરકારના કરૂણા અભિયાન અંતર્ગત ૧૩૦ થી વધુ પક્ષી ઘાયલ હોવાના કોલ મળ્યા હતા જેથી તેને બચાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તે પૈકીના ૮ પક્ષીઓને વધુ ઇજા થયેલ હોવાથી સારવારમાં તેના મોત નીપજ્યા હતા અને બાકીના પક્ષીઓને સારવાર આપીને સાજા કરવામાં આવ્યા હતા

મોરબીમાં  કર્તવ્ય જીવદયા કેન્દ્ર અને સરકારના કરૂણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવો અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને મોરબીમાં કેપિટલ માર્કેટ (રવાપર ચોકડી), બાપાસિતારામ ચોક (રવાપર રોડ), પંચાસર રોડ હનુમાન મંદિર સામે, નેહરુગેટ ચોક અને મહારાણા પ્રતાપ સર્કલ મોરબી-૨ ખાતે પક્ષીઓની સારવાર માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા કેમ્પ કરવામાં આવ્યા હતા અને મકરસંક્રાંતિના દિવસે લોકો પતંગ ચગાવવામાં વ્યસ્ત હતા ત્યારે પતંગની દોરી વાગવાથી ઘણા પક્ષીઓ ઘાયલ થયા હતા અને અંદાજીત ૧૩૦ થી વધુ ઘાયલ પક્ષીઓના કોલ બંને સંસ્થાને આવ્યા હતા અને તાત્કાલિક બચાવ ટીમે ત્યાં પહોચીને પક્ષીને બચાવવા માટેની કામગીરી કરી હતી જો કે, ૮ નિર્દોષ પક્ષીઓને સારવાર મળે તે પહેલા જ તેને મોત નિપજ્યાં હતા અને મોરબીના જે લોકો દ્વારા પક્ષી બચાવો અભિયાનમાં જોડાઈને તાત્કાલિક ઘાયલ પક્ષીની જાણ કરવામાં આવી હતી તેમનો સંસ્થા અને સરકાર વતી જવાબદાર લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો અને આવી જ રીતે સરકારી તંત્ર અને સંસ્થાને મોરબીના લોકો તરફથી સહકાર આપવામાં આવે તો અબોલ જીવની વધુ સારી રીતે સેવા કરી શકાય તેમ છે






Latest News