ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી ખાતે યોજાયેલ ત્રણ ફ્રી નિદાન સારવાર કેમ્પનો ૪૦૦ લોકોએ લાભ લીધો


SHARE











મોરબી ખાતે યોજાયેલ ત્રણ ફ્રી નિદાન સારવાર કેમ્પનો ૪૦૦ લોકોએ લાભ લીધો

મોરબી ખાતે ડો.હસ્તીબેન મહેતાના એક દિવસીય નિદાન તથા ત્રિદિવસીય સારવારના ત્રણ કેમ્પનું આયોજન દાતા સ્વ.ચંદુલાલ ધરમશી શાહ તથા શાંતિભાઈ  ઝોબાલિયા તેમજ ગોવિંદભાઇ વરમોરા દ્વારા કપવામાં આવેલ જેમા આશરે ૪૦૦ લોકોએ લાભ લીધો હતો.

જેમા મોરબીની સુપ્રસિદ્ધ બાજીરાજબા કન્યાશાળા દરબારગઢ ખાતે કરવામાં આવ્યું.જેમાં સવારે ૧૩૦  તેમજ બપોરે ૧૯૦ જેટલી બાળ વિદ્યાર્થીનીઓનું  વજન કરી, તપાસી ને ત્રણ દિવસ ની દવા આપેલ.પ્રવર્તમાન સ્થિતિમાં શરદી, ઉધરસ, તાવ, માથાનો દુખાવો, પેટના દુખાવાના વધુ દર્દી હતા.આ તકે શાળાના સ્ટાફનું પણ બ્લડ સુગર તેમજ બીપી ચેક કરી આપેલ.આ કેમ્પને સફળ બનાવવા શાળાના આચાર્ય નીલેશભાઈ કૈલા તેમજ  નમ્રતાબેન, ભારતીબેન સહિત સમગ્ર સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવેલ તે બધાના સહકારથી ૩૨૦ જેટલી બાલિકાઓને તપાસી, વજન કરીને સારવારમાં ત્રણ દિવસની દવા આપેલ.આ તકે મોરબીના સિનિયર  પત્રકાર પ્રવીણભાઈ વ્યાસ પણ હાજર રહ્યા હતા.કેમ્પ સહાયક કોઠારીભાઈ, રશ્મિનભાઈ દેસાઈ, કૌશીકા રાવલ, કેતનભાઈ મહેતા, જીગર ભટ્ટે સેવા આપી હતી.

તે ઉપરાંત ડો.હસ્તીબેન મહેતાના વધુએક એક દિવસીય નિદાન તેમજ ત્રિદિવસીય સારવાર કેમ્પનું આયોજન સનહાર્ટ ગ્રુપ મોરબી માતુશ્રી ગૌરીબેન ગણેશભાઈ વરમોરા હસ્તે ગોવિંદભાઈ વરમોરા દ્વારા માટેલની ઢુવા ચોકડી ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં ૧૦૦ જેટલા દર્દીએ લાભ લીધો હતો.આ કેમ્પમાં દર્દીનું વજન, બ્લડ સુગર ફ્રી ટેસ્ટ કરી આપવા સાથે બીપી ચેક કરીને જરૂર મુજબ ત્રણ દિવસની દવાઓ ફ્રી આપેલ.આ કેમ્પમાં સાંધા, હાડકાં અને વા ના દર્દીઓને જયસુખભાઈ પટેલે માત્ર પોઇન્ટ દ્વારા સારવાર આપી હતી.જેનાથી દર્દીઓએ દર્દમાં રાહત અનુભવી હતી.આ કેમ્પને સફળ બનાવવા માટે ગોવિંદભાઈ વરમોરા, જયંતિભાઈ ધોરિયાણી તથા તેમના સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવેલ. કેમ્પ સહાયક તરીકે કોઠારીભાઈ, રશ્મિનભાઈ દેસાઈ, કેતનભાઈ મેહતા, કૌશિકા રાવલ, તોષા રાવલે સેવા આપેલ.આ તકે ડો. હસ્તી મહેતાની અવિરત દર્દીનારાયણ પ્રત્યેની ઉમદા સેવાભાવનાની કદર કરતાં આયોજક તરફથી તેમને મોમેંન્ટો આપી સન્માનિત કરાયા હતા.






Latest News