ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને કેનાલ મારફતે સિંચાઈની સુવિધાનો લાભ આપવાની માંગ


SHARE











મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને કેનાલ મારફતે સિંચાઈની સુવિધાનો લાભ આપવાની માંગ

મોરબી તાલુકાનાં આમરણ ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈની સુવિધા આપવા માટે હાલમાં સામાજિક કાર્યકર દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

ટંકારા તાલુકાનાં વીરપર ગામ પાસે આવેલ શ્રી હરી પાર્ક સોસાયટીમાં રહેતા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી તાલુકાનાં આમરણ ગ્રામ્ય વિસ્તારનાં ખેડુતો આર્થિક રીતે ખેતી આધારીત જીવન જીવે છે. અને વર્ષે એક જ વખત વરસાદ આધારીત ખેતી દ્વારા આવક મેળવે છે જેથી કરીને આ ખેડૂતો સિંચાઈ સુવિધાથી વંચિત હોય આ વિસ્તારમાંથી ખેડૂતો સહિતના લોકો શહેરો તરફ પલાયન ન કરે તે માટે મોરબીના આમરણ ચોવીસીના ગ્રામ્ય વિસ્તારને સિંચાઈ સુવિધાનો લાભ મળે તેના માટે ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો ત્યાં સીંચાઈનું સુવિધા મળી રહે તો ખેડુતો અને ગ્રામ્ય વિસ્તાર બંને  સમૃદ્ધ રહેશે વધુમાં જણાવ્યુ છે કે, માળીયા નર્મદાની મેઈન કેનાલ છે જે આમરણ વિસ્તારને ભૌગોલીક રીતે નજીક છે તો આમરણ ગ્રામ્યને માઈનોર નર્મદા કેનાલથી સીંચાઈનું પાણી આપવામાં આવે તો ખેડૂતોને મોટો ફાયદો થાય તેમ છે






Latest News