જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને કેનાલ મારફતે સિંચાઈની સુવિધાનો લાભ આપવાની માંગ


SHARE











મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને કેનાલ મારફતે સિંચાઈની સુવિધાનો લાભ આપવાની માંગ

મોરબી તાલુકાનાં આમરણ ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈની સુવિધા આપવા માટે હાલમાં સામાજિક કાર્યકર દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

ટંકારા તાલુકાનાં વીરપર ગામ પાસે આવેલ શ્રી હરી પાર્ક સોસાયટીમાં રહેતા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી તાલુકાનાં આમરણ ગ્રામ્ય વિસ્તારનાં ખેડુતો આર્થિક રીતે ખેતી આધારીત જીવન જીવે છે. અને વર્ષે એક જ વખત વરસાદ આધારીત ખેતી દ્વારા આવક મેળવે છે જેથી કરીને આ ખેડૂતો સિંચાઈ સુવિધાથી વંચિત હોય આ વિસ્તારમાંથી ખેડૂતો સહિતના લોકો શહેરો તરફ પલાયન ન કરે તે માટે મોરબીના આમરણ ચોવીસીના ગ્રામ્ય વિસ્તારને સિંચાઈ સુવિધાનો લાભ મળે તેના માટે ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો ત્યાં સીંચાઈનું સુવિધા મળી રહે તો ખેડુતો અને ગ્રામ્ય વિસ્તાર બંને  સમૃદ્ધ રહેશે વધુમાં જણાવ્યુ છે કે, માળીયા નર્મદાની મેઈન કેનાલ છે જે આમરણ વિસ્તારને ભૌગોલીક રીતે નજીક છે તો આમરણ ગ્રામ્યને માઈનોર નર્મદા કેનાલથી સીંચાઈનું પાણી આપવામાં આવે તો ખેડૂતોને મોટો ફાયદો થાય તેમ છે






Latest News