ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં બગથળા સોશ્યલ ગૃપ દ્વારા સ્નેહમિલન, ઈનામ વિતરણ અને સાંસ્ક્રુતિક કાર્યક્રમનું આયોજન


SHARE











મોરબીમાં બગથળા સોશ્યલ ગૃપ દ્વારા સ્નેહમિલન, ઈનામ વિતરણ અને સાંસ્ક્રુતિક કાર્યક્રમનું આયોજન

મોરબી નજીકના બગથળા ગામના મૂળ રહેવાસી અને હાલમાં મોરબીમાં રહેતા સર્વે જ્ઞાતીના પરિવારોનું ગૃપ વર્ષ ૧૯૯૬ થી મોરબીના કાર્યરત છે અને તે શ્રી બગથળા સોશ્યલ ગૃપના નામથી જાણીતું છે આ ગૃપ દ્રારા દર વર્ષે સ્નેહમિલન, ઈનામ વિતરણ અને સાંસ્ક્રુતિક કાર્યક્રમનું તેમજ અન્ય સામાજિક કાર્યોક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં દરેક સભ્યો ઉત્સાહભેર ભાગ લેતા હોય છે

મોરબીમાં શ્રી બગથળા સોશ્યલ ગૃપ દ્વારા ૨૮ માં વાર્ષિક સ્નેહમિલન સમારોહ, ઈનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તા. ૩૧/૧૨/૨૦૨૩ ને રવિવારના રોજ બપોરના ૩ કલાકે પ્રભુરત્ન પાર્ટી પ્લોટ, એસ.પી.રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે જેમાં બગથળા શ્રી નકલંક મંદિરના મહંત દામજી ભગતના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે અને તેઓ આર્શિ વચન પણ આપશે આ તકે ધો- ૧ થી કોલેજ સુધીના બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે તેમજ બાળકો અને મોટેરામાં રહેલ સુસુપ્ત રહેલ શક્તિને બહાર લાવવાના ભાગ રૂપે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ મળીને ૧૨ કૃતિઓ રજૂ કરવામાં આવશે જેથી કરીને તમામ સભ્યોને સમયસર આવવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવેલ છે આ કાર્યક્રમ તેમજ ગ્રૂપની વધુ માહિતી માટે કિશોરભાઈ મેરજા (૯૯૭૮૯ ૬૧૬૧૪), દિનેશભાઈ જી .ઠોરિયા (૯૮૭૯૫૯૭૦૦૫), એ.કે. ઠોરિયા (૯૨૬૫૩૨૭૭૮૮) અને ધરતીબેન બરાસરા (૯૮૨૫૯ ૪૧૭૦૪) નો સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News