ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની આર્યાવર્ત એજ્યુ. એકેડેમીમાં અંગદાન જાગૃતિ માટે સેમિનાર યોજાયો


SHARE











મોરબીની આર્યાવર્ત એજ્યુ. એકેડેમીમાં અંગદાન જાગૃતિ માટે સેમિનાર યોજાયો

કોઈપણ એક વ્યક્તિનું અંગદાન કરવામાં આવે એટ્લે એક કે બે નહીં પંરતુ સાત વ્યક્તિને નવજીવન મળી શકે છે જેથી કરીને છેલ્લા ઘણા વર્ષોથી લોકોમાં અંગદાનને લઈને જાગૃતિ આવે તેના માટે થઈને જુદીજુદી જગ્યાએ સેમિનાર કરવામાં આવે છે તેવામાં તેજતરમા મોરબી નજીક આવેલ આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી ખાતે અંગદાન જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિલીપદાદા દેશમુખ દ્વારા નર્સિંગ તેમજ હોમીયોપેથીના વિદ્યાર્થીઓને અંગદાન વિશે તેમજ શરીરના અંગોના મહત્વ વિષેની માહિત આપવામાં આવી હતી ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ અંગદાન કરે ત્યાર બાદ તેના પર સર્જરી કરીને તેના કોઈપણ અંગને કાઢીને જરૂરિયાતમંદ વ્યક્તિના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાની પ્રક્રિયાને અંગદાન કહેવામાં આવે છે. અને અંગદાન મૃત્યુ પામ્યા પછી નહીં પરંતુ જીવિત વ્યક્તિ જ કરી શકે છે અને જે વ્યક્તિનું બ્રેન ડેડ થઈ જાય છે તેના પરિવારજનની સંમતિ સાથે અંગદાન કરવામાં આવતું હોય છે વધુમાં જણાવ્યુ હતુ કે, જીવતી વ્યક્તિ શરીરનાં અમુક અંગ, જેમ કે કિડની, બોનમેરોનું દાન કરી શકે છે તેવી જ રીતે બ્રેઈનડેડ વ્યક્તિ કિડની, લિવર, ફેફસાં, સ્વાદુપિંડ, અંડાશય, આંખો, હાડકાં અને ત્વચાને દાન કરી શકે છે અને તે બીજા શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે આટલું જ નહીં જે વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ હોય તે વ્યક્તિ જ અંગદાન કરી શકે છે. કોઈપણ વ્યક્તિને એચ.આઈ.વી., કેન્સર, હાર્ટ અને ફેફસાંની બીમારી જેવી લાંબી બીમારી હોય તો તે અંગદાન કરી શકતા નથી






Latest News