મોરબીમાં પીએસઆઈએ સેવા કાર્યમાં સહયોગ આપીને દીકરાના જન્મદીનની ઉજવણી કરી
મોરબીમાં પત્નીની હત્યાના કેસમાં પતિનો નિર્દોષ છુટકારો
SHARE
મોરબીમાં પત્નીની હત્યાના કેસમાં પતિનો નિર્દોષ છુટકારો
મોરબીના વિસીપરા વિસ્તારમાં પતિ અને પત્નીને માથાકૂટ થતા પતિએ પત્નીને માર માર્યો હતો અને ગંભીર ઈજા થતાં મહિલાનું મોત થયું હતી અને બનાવ હત્યામાં પટલયો હતો તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપી પતિ વિરુદ્ધ કેસ સાબિત ન થતા કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા આદેશ કરેલ છે
મોરબી બી ડીવીઝન ખાતે તા. ૨૦-૦૫-૨૦૨૨ ના રોજ હત્યાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં આરોપી અનવરશા ખમીશા શેખ દ્વારા ફરિયાદીની દીકરી હલીમાબેન પર શંકા કુશંકા કરી મારઝૂડ કરી ગંભીર ઈજા કરી હતી જેથી તેનું મોત નીપજયું હતું અને હત્યાની ફરિયાદ નોંધાઈ હતી જે કેસમાં આરોપીના વકીલ તરીકે મોરબી લીગલ એઇડ. ડીફેન્સ કાઉન્સેલ ચીફ શબાના એમ. ખોખર રોકાયેલ હતા અને કેસ મોરબીના મહે. બીજા અધિક સેશન્સ જજ વી.એ. બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતાં ચીફ લીગલ એઇડ ડીફેન્સ કાઉન્સેલની ધારદાર દલીલોને ધ્યાને લઈને તેમજ આરોપી વિરુદ્ધ કેસ સાબિત નહિ થતા આરોપી અનવરશા ખમીશા શેખને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો કોર્ટે હુકમ કર્યો છે આ કેસમાં આરોપી તરફે મોરબી ડીસ્ટ્રીકટ લીગલ એઇડ વિભાગના લીગલ એઇડ ડીફેન્સ કાઉન્સેલના ચીફ શબાના એમ. ખોખર, જિંકલ રાજકોટિયા અને મયુર પઢીયાર રોકાયેલ હતા