મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીના છાત્રાલય રોડ ઉપર ૨૪ કલાક ગટરની ગંદકીથી વેપારીઓ-લોકો ત્રાહિમામ


SHARE







મોરબીના છાત્રાલય રોડ ઉપર ૨૪ કલાક ગટરની ગંદકીથી વેપારીઓ-લોકો ત્રાહિમામ

મોરબીના સનાળા રોડ ઉપર સરદાર બાગ પાસેથી કન્યા છાત્રાલય બાજુ જવાના રસ્તા ઉપર ૨૪ કલાક ગટરના ગંદા પાણી ઉભરાતા હોય છે જેથી કરીને ત્યાં દુકાન ધરાવતા વેપારીઓ તેમજ માલ સામાનની ખરીદી કરવા માટે મોરબી અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતાં લોકોને નાછૂટકે ગંદકીમાંથી પસાર થવું પડતું હોય છે આટલું જ નહીં હાલમાં શાળા કોલેજો શરૂ થઈ ગઈ છે ત્યારે મોરબી અને આસપાસના વિસ્તારમાથી અભ્યાસ માટે વિદ્યાર્થીઓ આવતા હોય છે તેઓને પણ આ ગંદકીની વચ્ચેથી પસાર થવું પડે છે આમ મોરબી પાલિકાની બેદરકારીને લીધે ૨૪ કલાક આ રસ્તા પર ગટરના ગંદા પાણી ઉભરાતા હોય છે જેથી સ્થાનિક વેપારીઓ અને લોકોમાં ભારે રોષની લાગણી છે ત્યારે વહેલામાં વહેલી તકે મોરબીના પોશ વિસ્તાર ગણાતા સનાળા રોડ અને કન્યા છાત્રાલય રોડ ઉપરથી ગટરની ગંદકીને દૂર કરવામાં આવે તેવી વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે






Latest News