ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના છાત્રાલય રોડ ઉપર ૨૪ કલાક ગટરની ગંદકીથી વેપારીઓ-લોકો ત્રાહિમામ


SHARE











મોરબીના છાત્રાલય રોડ ઉપર ૨૪ કલાક ગટરની ગંદકીથી વેપારીઓ-લોકો ત્રાહિમામ

મોરબીના સનાળા રોડ ઉપર સરદાર બાગ પાસેથી કન્યા છાત્રાલય બાજુ જવાના રસ્તા ઉપર ૨૪ કલાક ગટરના ગંદા પાણી ઉભરાતા હોય છે જેથી કરીને ત્યાં દુકાન ધરાવતા વેપારીઓ તેમજ માલ સામાનની ખરીદી કરવા માટે મોરબી અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતાં લોકોને નાછૂટકે ગંદકીમાંથી પસાર થવું પડતું હોય છે આટલું જ નહીં હાલમાં શાળા કોલેજો શરૂ થઈ ગઈ છે ત્યારે મોરબી અને આસપાસના વિસ્તારમાથી અભ્યાસ માટે વિદ્યાર્થીઓ આવતા હોય છે તેઓને પણ આ ગંદકીની વચ્ચેથી પસાર થવું પડે છે આમ મોરબી પાલિકાની બેદરકારીને લીધે ૨૪ કલાક આ રસ્તા પર ગટરના ગંદા પાણી ઉભરાતા હોય છે જેથી સ્થાનિક વેપારીઓ અને લોકોમાં ભારે રોષની લાગણી છે ત્યારે વહેલામાં વહેલી તકે મોરબીના પોશ વિસ્તાર ગણાતા સનાળા રોડ અને કન્યા છાત્રાલય રોડ ઉપરથી ગટરની ગંદકીને દૂર કરવામાં આવે તેવી વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે






Latest News