મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના છાત્રાલય રોડ ઉપર ૨૪ કલાક ગટરની ગંદકીથી વેપારીઓ-લોકો ત્રાહિમામ


SHARE











મોરબીના છાત્રાલય રોડ ઉપર ૨૪ કલાક ગટરની ગંદકીથી વેપારીઓ-લોકો ત્રાહિમામ

મોરબીના સનાળા રોડ ઉપર સરદાર બાગ પાસેથી કન્યા છાત્રાલય બાજુ જવાના રસ્તા ઉપર ૨૪ કલાક ગટરના ગંદા પાણી ઉભરાતા હોય છે જેથી કરીને ત્યાં દુકાન ધરાવતા વેપારીઓ તેમજ માલ સામાનની ખરીદી કરવા માટે મોરબી અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતાં લોકોને નાછૂટકે ગંદકીમાંથી પસાર થવું પડતું હોય છે આટલું જ નહીં હાલમાં શાળા કોલેજો શરૂ થઈ ગઈ છે ત્યારે મોરબી અને આસપાસના વિસ્તારમાથી અભ્યાસ માટે વિદ્યાર્થીઓ આવતા હોય છે તેઓને પણ આ ગંદકીની વચ્ચેથી પસાર થવું પડે છે આમ મોરબી પાલિકાની બેદરકારીને લીધે ૨૪ કલાક આ રસ્તા પર ગટરના ગંદા પાણી ઉભરાતા હોય છે જેથી સ્થાનિક વેપારીઓ અને લોકોમાં ભારે રોષની લાગણી છે ત્યારે વહેલામાં વહેલી તકે મોરબીના પોશ વિસ્તાર ગણાતા સનાળા રોડ અને કન્યા છાત્રાલય રોડ ઉપરથી ગટરની ગંદકીને દૂર કરવામાં આવે તેવી વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે




Latest News