ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા મામલે મોરબીના રાજપુત કરણી સેનાની આગેવાનીમાં કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું


SHARE







રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા મામલે મોરબીના રાજપુત કરણી સેનાની આગેવાનીમાં કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

રાજસ્થાનમાં થોડા દિવસો પહેલા રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની તેના ઘરમાં ઘુસીને ગોળી ધરબીને હત્યા કરવામાં આવી છે જેના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે મોરબી રાજપૂત કરણી સેનાની આગેવાનીમાં રાજપૂત સમાજના આગેવાનો તેમજ હિન્દૂ યુવા વાહીની સંસ્થાઓના આગેવાનોની હાજરીમાં કલેકટરને આવેદન આપીને આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી રાજપૂત કરણી સેનાની આગેવાનીમાં મોરબી રાજપૂત સમાજના હોદેદારો સહિતના રાજપૂત સમાજના લોકો તેમજ હિન્દૂ યુવા વાહીની સંસ્થાઓના હોદેદારો સહિતનાઓની હાજરીમાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેના જણાવ્યુ છે કે, થોડા દિવસો પહેલા રાજસ્થાનમાં રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની તેના ઘરમાં ઘુસીને ફાયરીગ કરીને નિર્મમ હત્યા કરવામાં આવી છે તે ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે અને આ હત્યાના બનાવમાં રાજકારણના દોરીસંચારને જવાબદાર ઠેરવી જેલમાં બેઠા બેઠા સોપારી આપી ભાડૂતી હત્યારા મારફત હત્યા કરાઈ છે ત્યારે આરોપી જે કોઈ હોય તેને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને વધુમાં આગેવાનોએ જણાવ્યુ છે કે, સુખદેવસિંહ ગોગામેડીએ પોલીસ પ્રોટેક્શન માંગ્યું હોવા છતાં ન મળ્યું અને તેની હત્યા થઈ છે ત્યારે આ બનાવની તટસ્થ તપાસ કરવામાં આવે અને તેમાં જે કોઈ સંડોવાયેલ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. અને જો આ ઘટનામાં ન્યાય નહી મળે તો રાજપૂત સમાજમાં હાલમાં જે રોષની લાગણી છે તે ભવિષ્યમાં આંદોલનનું સ્વરૂપ લેશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News