વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ગેરકાયદે ટોલનાકાની ફરિયાદ બાબતે જેરામભાઈએ ધારાસભ્યને સાથે રાખીને કરી એસપીને રજૂઆત


SHARE











મોરબી જીલ્લામાં ગેરકાયદે ટોલનાકાની ફરિયાદ બાબતે જેરામભાઈએ ધારાસભ્યને સાથે રાખીને કરી એસપીને રજૂઆત

મોરબી જિલ્લાના વાંકાનેર નજીક આવેલ વઘાસિયા ટોલનાકા પાસે બંધ પડેલ ફેક્ટરીમાંથી રસ્તો કાઢીને ગેરકાયદે ટોલનાકુ ઊભું કરવામાં આવ્યું હતું અને ત્યાંથી ઉઘરાણા કરવામાં આવતા હતા જે બાબતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈના દીકરા સહિત કુલ પાંચ સામે ફરિયાદ નોંધાયેલ છે ત્યારે પાટીદાર સમાજના આગેવાન જેરામભાઈ ટાંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને સાથે રાખીને મોરબી જિલ્લાના એસપીને રજૂઆત કરવા માટે પહોચ્યા હતા.

છેલ્લા દોઢેક વર્ષથી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર વઘાસિયા ટોલનાકા પાસે આવેલ બંધ પડેલ વ્હાઇટ હાઉસ ફેક્ટરીમાથી ગેરકાયદે રસ્તો બનાવીને ત્યાંથી વાહનોને કાઢવામાં આવતા હતા અને તે વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા જેથી સરકારને ટોલટેકસમાં નુકશાની જતી હતી જેથી કરીને આ બાબતે સમાચારો આવ્યા પછી અધિકારીઓએ દોડતા થયા હતા અને આ બાબતે ગઇકાલે સાંજે પોલીસે ફરિયાદી બનીને સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાના દીકરા અને વ્હાઇટ હાઉસ સિરામિક ફેકટરી વાળા અમરશીભાઈ જેરામભાઈ પટેલ સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધી હતી અને હાલમાં આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે તેવામાં સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે તેઓએ ભાડા કરાર કરીને ફેકટરી ભાડે આપી છે અને ભાડુઆત શુ કરે તે તેઓને ખબર ન હતી જો કે, ત્યાર બાદ જેરામભાઈ વાસજાળીયા ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને સાથે રાખીને એસપીને ફરિયાદ બાબતે રજૂઆત કરવા માટે પહોચ્યા હતા અને ત્યાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, ગેરકાયદે ટોલનાકા બાબતે જે ફરિયાદ કરવામાં આવી છે તેમાં તેના દીકરા અમરશિભાઈના નામના ઉલ્લેખ છે તે બાબતે તેઓ ધારાસભ્યને સાથે રાખીને રજૂઆત કરવા માટે આવ્યા હતા






Latest News