રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના રોહિશાળા ગામે ખેડુતની હત્યાના ગુનામાં તેની વાડીએ કામ કરતાં કાકી-ભત્રીજાની ધરપકડ


SHARE











માળીયા (મી)ના રોહિશાળા ગામે ખેડુતની હત્યાના ગુનામાં તેની વાડીએ કામ કરતાં કાકી-ભત્રીજાની ધરપકડ

માળીયા મિયાણા તાલુકાનાં રોહિશાળા ગામે ખેડૂત યુવાનની તીક્ષ્ણ હથિયાર મારીને હત્યા કરવામાં આવી હતી જેની મૃતક યુવાનના ભાઈએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને તેની જ વાડીએ કામ કરતાં મજૂરોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં હાલમાં પોલીસે મૃતક ખેડૂતની વાડીએ પતિ પત્નીની જેમ રહીને મજૂરી કામ કરતાં કાકી-ભત્રીજાની ધરપકડ કરેલ છે અને આરોપીની મહિલાના મૃતક યુવાને અડપલાં કરેલ હોવાની શંકાના આધારે તેની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં વિગત સામે આવી હતી

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાનાં રોહિશાળા ગામે રહેતા ચંદુલાલ જાદવજીભાઈ કાલરીયા જાતે પટેલ (૫૭)એ તેઓના ખેતરે કામ કરતાં આદિવાસી રાકેશભાઈ અને તેની સાથે પત્નીની જેમ રહેતી મહિલાની સામે પોતાના ભાઈની હત્યાની ફરિયાદ કરી હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કેફરિયાદીનો ભાઈ પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયા (૩૭)ને છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે માથાની પાછળના ભાગમાંગાળા ઉપર અને મોઢા ઉપર ઘા મારીને તેના જ ખેતરમાં હત્યા કરવામાં આવી હતી અને ખેડૂત યુવાનની હત્યા કરવામાં આવી ત્યારથી તેના ખેતરે કામ કરતાં બને મજૂર ગુમ થઈ હતા હતા જેથી તેને જ હત્યા કરી હોવાની પ્રબળ શંકા હતી જેથી પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગુનામાં હાલમાં પોલીસે આરોપી રાગેશ ઉર્ફે રાકેશ જુવાનસિંગ બધેલ (૪૦) અને રાજબાઈ નરસિંગ બધેલ (૪૨) રહે બંને હાલ રોહિશાળા વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને આરોપી છોટા ઉદેપુર તેમજ મધ્યપ્રદેશમાં હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જઈને આરોપીની ધરપકડ કરી હતી અને પોલીસની પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી છે કે આરોપી રાકેશ અને રાજબાઈ સબંધમાં ભત્રીજો-કાકી થાય છે અને પ્રેમ સબંધ હોવાથી તેઓ ત્યાંથી ભાગીને અહી આવ્યા હતા અને પતિ પત્નીની જેમ મૃતકની વાડીએ રહેતા હતા જો કે, મૃતક યુવાને મહિલાના અડપલાં કરીને તેની પાસે અણછાજતી માંગણી કરી હતી જેથી તેની હત્યા કરવામાં આવી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં હત્યાના કામે વપરાયેલ હથિયાર તેમજ મૃતકનું બાઇક ગુમ થયું હતું તે બંને કબજે કરેલ છે 






Latest News