મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગરમાં બળતણ માટે ગાંડા બાવળ કાપતા વૃદ્ધને ઈંટ વડે માર માર્યો: એટ્રોસીટીની ફરિયાદ


SHARE











મોરબીના લાન્સનગરમાં બળતણ માટે ગાંડા બાવળ કાપતા વૃદ્ધને ઈંટ વડે માર માર્યો: એટ્રોસીટીની ફરિયાદ

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરાની બાજુમાં લાન્સનગર પાસે ઘરની પાછળના ભાગમાં ખુલ્લા પ્લોટમાં ગાંડા બાવળ બળતણ માટે કાપી રહેલા વૃદ્ધને ત્યાં જ રહેતા એક શખ્સે બાવળ પોતાને જોઈએ છે તેમ કહીને બોલાચાલી કરીને ગાળો આપવામાં આવી હતી ત્યારબાદ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને ઈંટ વડે માથામાં માર મારીને ઇજા કરી હતી અને વૃદ્ધ પડી જતાં તેને ફ્રેકચર થયું હતું જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વીસીપરાની પાછળના ભાગમાં આવેલ રોહીદાસપરની બાજુમાં લાયન્સનગર પાસે રહેતા મનુભાઈ ઉર્ફે મનજીભાઈ લાલજીભાઈ ચાવડા જાતે અનુ. જાતિ (૭૫) એ મહેબુબભાઇ હુસેનભાઇ મીયાણા જાતે મુસ્લિમ રહે. રોહીદાસપરાની બાજુમાં લાયસનગર પાસે મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કેફરિયાદી પોતાના ઘરની પાછળ આવેલ ખુલ્લા પ્લોટમાં આડા પડી ગયેલા ગાંડા બાવળની ડાળીઓ બળતણ માટે કાપતા હતા ત્યારે આરોપીએ ત્યાં આવીને બાવળ પોતાને જોઈએ છે તેમ કહી ના પાડી બોલાચાલી કરી હતી અને ફરિયાદીને ગાળો આપીને જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા તથા ઇંટનો ફરિયાદી વૃદ્ધ ઉપર ઘા કરીને તેને માથાના ભાગે ઇજા કરી હતી અને ફરિયાદી પડી જતા તેને ડાબા પગમાં સાથળના ભાગે ફ્રેક્ચર જેવી ઈજા થયેલ છે જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મારામારીમાં ઇજા

મોરબી નજીકના નવા ધરમપુર ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સુમનબેન અનિલભાઈ દહેકિયા જાતે દેવીપુજક (૨૦) અને અનિલભાઈ પ્રભુભાઈ દહેકિયા જાતે દેવીપુજક (૨૧) ને ઇજાઓ થઈ હોવાથી બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસન બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે






Latest News