મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી નજીક સીરામીક યુનિટમાં ગુર્દાના ભાગે કમ્પ્રેસરથી હવા ભરી દેતા બાળક રાજકોટ સારવારમાં


SHARE











મોરબી નજીક સીરામીક યુનિટમાં ગુર્દાના ભાગે કમ્પ્રેસરથી હવા ભરી દેતા બાળક રાજકોટ સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા રવાપર નદી ગામ પાસેના એક કારખાનાની અંદર દસ વર્ષના પરપ્રાંતીય મજૂર પરિવારના બાળકને રમતા રમતા મસ્તીમાં કમ્પ્રેસર વડે ગુર્દાના ભાગે હવા ભરી દેવામાં આવી હતી જેથી કરીને બાળકને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે હાલ રાજકોટ સિવિલમાં લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા રવાપર નદી ગામ પાસે આવેલ એક કારખાનાની અંદર મજૂરી કામ કરતા મજૂર પરિવારના દસ વર્ષના બાળક સાથે ઉપરોક્ત ઘટના બની હતી જેમાં બાળક રમી રહ્યો હતો ત્યારે કારખાનામાં રમતા રમતા કોઈના દ્વારા તેના ગુર્દાના ભાગે કમ્પ્રેસર વડે હવા ભરી દેવામાં આવતા બાળકને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને હાલ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.ઉપરોક્ત બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવેલી હોય હાલ તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા આ બાબતે નોંધ કરીને બનાવની આગળની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ ધનજીભાઈ હડીયલ નામના ૩૮ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલા ખોખરા હનુમાન રોડ નજીક આવેલા મોનાલીથ સીરામીક પાસેથી અશ્વિનભાઈ હડિયલ બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે ત્યાં રસ્તામાં તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં તેમને ઇજાઓ થતા સારવારમાં ખસેડાયો હતો.હાલ તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વાવડી રોડ આવેલ જીવન જ્યોત સોસાયટીમાં રહેતા રૂષીરાજસિંહ રણજીતસિંહ પરમાર નામના ૩૦ વર્ષના યુવાનને તેના ઘર પાસે મોડીરાત્રિના ત્રણેક વાગ્યાના અરસામાં કોઈ બાબતે થયેલ ઝઘડા બાદની મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી તેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના પી.બી.ઝાલા દ્વારા બનાવની નોંધ કરીને વધુ તપાસ કરવામાં આવી હતી






Latest News