મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં સાઇબર ક્રાઇમ જાગૃતિનો સેમિનાર યોજાયો


SHARE











મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં સાઇબર ક્રાઇમ જાગૃતિનો સેમિનાર યોજાયો

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં 'મોરબી જિલ્લા પોલીસ' દ્વારા સાઇબર ક્રાઇમ જાગૃતિનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લાના પોલીસ વડા રાહુલ ત્રિપાઠી હાજર રહ્યા હતા તેમજ મોરબી શહેર બી ડિવિઝનના પીઆઈ પી.એ. દેકાવાડીયા સહિતના અધિકારી અને કર્મચારી હાજર રહ્યા હતા ત્યારે અધિકારી દ્વારા સાયબર ક્રાઇમ સંદર્ભે જરૂરી માહિતી આપવામાં આવી હતી અને સાઇબર ક્રાઇમ એટલે ખાસ કરીને મોબાઈલ જેવા માધ્યમોમાં ઇન્ટરનેટ દ્વારા થતા ગુના એવી સામાન્ય સમજ આપી સાયબર ક્રાઇમ અંતર્ગત થતા છેતરપિંડી, લાલચ, બ્લેકમેલ વગેરેની વિગતે આપી હતી અને આ ગુનાઓથી બચવા શું કરવું જોઈએ તેની પણ સમજૂતી આપેલ હતી તો જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ કેટલાક ઉદાહરણો આપીને સાયબર ક્રાઇમ વર્તમાનમાં કઈ રીતે થઈ રહ્યો છે અને તેનાથી બચવા શું શું કરી શકાય તેની સમજૂતી આપેલ હતી આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ કે.આર. દંગી, સ્થાના માનાર્હ મંત્રી રજનીભાઈ મહેતા, ટ્રસ્ટી દેવાંગભાઈ દોશી પણ હાજર રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન ડો. રામ વારોતરીયાએ કરેલ હતું






Latest News