ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

માળીયા(મિં.) શહેનશાવલીની દરગાહ પાસે ટ્રકે માતાના મઢ જતા પદયાત્રી પરિવારને હડફેટે લેતા માતા-પુત્રના મોતઃ ટ્રક ચાલકની ધરપકડ


SHARE











માળીયા(મિં.) શહેનશાવલીની દરગાહ પાસે ટ્રકે માતાના મઢ જતા પદયાત્રી પરિવારને હડફેટે લેતા માતા-પુત્રના મોતઃ ટ્રક ચાલકની ધરપકડ

મોરબી જિલ્લામાં થોડા દિવસો પહેલા લક્ષ્મીનગર ગામના પાટિયા પાસે માતાના મઢ જતા બે પદયાત્રી પૈકીના એકને ક્રેન ચાલકે હડફેટે લેતા તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવની શાહી સુકાઇ નથી ત્યાં શનિવારે માળીયા તાલુકામાં હરીપર ગામના પાટિયા પાસે વધુ એક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં માતાના મઢ જતા પતિ, પત્ની અને તેના બાળકને ટ્રક ચાલકે હડફેટે લેતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ અને યુવાન અને તેના પુત્રને ગંભીર હાલતમાં સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જયાં ટુંકી સારવાર બાદ બાળકનું પણ મોત નિપજયુ હતુ જે અંગે ફરીયાદ નોંધાવાતા માળીયા પોસીલે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરેલ છે.

મોરબી જિલ્લામાં માળીયા(મિં.) તાલુકામાં હરીપર ગામના પાટીયા પાસે શહેરનશાવલીની દરગાહ આવેલ છે ત્યાં ગત શનિવારના રોજ અકસ્માત થયો છે જેમાં માતાના મઢ જતા ધરમનગર (નવાગામ) ના રહેવાસી એવા પદયાત્રી કોળી પરિવારને ટ્રક નંબર જીજે ૧૨ બીવી ૬૩૮૭ ના ચાલકે ડફેટે લેતા મહિલા અને તેના ઇજાગ્રસ્ત દિકરાનું મોત નિપજયુ હતુ.સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ પતિ-પત્ની અને તેમના બાળકને ટ્રકચાલક ગણેશભાઇ સુભકરણભાઇ ગઢવી રહે.પડાણા ગાંધીધામએ હડફેટે લીધા હતા.જે ગોજારા અકસ્માતમાં કૈલાસબેન હરપાલભાઇ ધામેચા જાતે કોળી (ઉંમર ૩૩) રહે.ધરમનગર(નવાગામ) માળીયા નામની મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ અને મૃતકના પતિ ધામેચા હરપાલભાઇ મેરૂભાઇ અને તેઓના દીકરા ધાર્મિકને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જો કે, ટુંકી સારવાર દરમ્યાન ધાર્મિક નામના બાળકનું પણ મોત નિપજયુ હોય અકસ્માતમાં માતા-પુત્રના મોત થયા હતા અને હરપાલભાઇ સહીત બે ઇજાગ્રસ્તો સારવાર હેઠળ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળેલ છે. 

હાલમાં માળિયા પોલીસ મથક ખાતે ઉપરોકત બનાવ અંગે હરપાલભાઇના પિતા મેરૂભાઇ નરશીભાઇ ધામેચા જાતે કોળી રહે.ધરમનગર (નવાગામ) તા.માળીયાએ ટ્રક ચાલક સામે ફરીયાદ નોંધાવતા માળીયા પીએસઆઇ વી.બી.રાઇમાએ ટ્રક ચાલક ગણેશભાઇ ગઢવી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરેલ છે.






Latest News