ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

માળીયા(મી) શહેનશાવલીની દરગાહ પાસે ટ્રકે પરિવારને અડફેટે લેતા માતા-દિકરાનું મોતઃ યુવાન ગંભીર


SHARE











મોરબી જિલ્લામાં થોડા દિવસો પહેલા લક્ષ્મીનગર ગામના પાટિયા પાસે માતાના મઢ જતા પદયાત્રીને વાહન ચાલકે અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું.આ બનાવની શાહી સુકાઇ નથી ત્યાં આજે માળીયા તાલુકામાં હરીપર ગામના પાટિયા પાસે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં માતાના મઢ જતા પતિ, પત્ની અને તેના બાળકને વાહનચાલકે અડફેટે લેતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે જોકે યુવાન અને તેના બાળકને ગંભીર હાલતમાં સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે હાલમાં રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બીપોઝીટીવ

મોરબી જિલ્લામાં માળીયા તાલુકામાં હરીપર ગામના પાટીયા પાસે શહેરનશાવલીની દરગાહ આવેલ છે ત્યા અકસ્માત થયો છે જેમા માતાના મઢ જતા પદયાત્રીઓને ટ્રક ચાલકે અડફેટે લેતા મહિલા અને તેના ઇજાગ્રસ્ત દિકરાનું મોત નિપજયુ છે સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ પતિ, પત્ની અને તેના બાળકને વાહનચાલકે અડફેટે લીધા હતા જેમા કૈલાસબેન હરપાલભાઇ ધામેચા ઉંમર વર્ષ ૩૩ નામની મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ અને તેના પતિ ધામેચા હરપાલભાઇ અને તેના દીકરા ધાર્મિકને ગંભીર હાલતમાં રાજકોટ સારવારમાં ખસેડાયા હતા જો કે, સારવાર દરમ્યાન ધાર્મિક (૪) નામના બાળકનું પણ મોત થયુ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળેલ છે હાલમાં માળિયા તાલુકા પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે વઘુમાં પોલીસ સુત્રો પાસેોતઈ જાણવા મળેલી મહિતી મુજબ હરપાલભાઇ ધામેચા માળીયા તાલુકાના નવાગામ ધરમનગરના રહેવાસી છે અને તે તેના પરિવાર સાથે માતાના મઢ દર્શન કરવા માટે જતા હતા






Latest News