મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરૂ પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પંચાયતની પેટા ચુંટણીમાં ભાજપ દ્વારા આચારસંહિતાની ઐસીતૈસીઃ શુક્રવારે મોડી રાતે વાજતે ગાજતે પ્રચાર !, કોંગ્રેસે કરી ફરીયાદ


SHARE











મોરબી તાલુકા પંચાયતની ૨૬ -ત્રાજપર - ર બેઠકની ચુંટણી માટે કાલે મતદાન થવાનું છે તે પહેલા આજે જીલ્લા ભાજપ દ્વારા આંચાર સહિંતાનો ભંગ કરીને ગઇકાલે મોડી રાત સુધી વાજતે ગાજતે ચુંટણી પ્રચાર કરાયો હતો જેથી ભાજપના ઉમેદવારને ગેરલાયક ઠરાવવાની આચાર સંહિતા ભંગની મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે માંગ કરેલ છે 

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઇ પટેલ દ્વારા ચુંટણી અધિકારીને લેખિતમાં આચારસંહિચતા ભંગની રજુઆત કરવામાં આવી છે જેમા તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકા પંચાયત ૨૬ ત્રાજપર -૨ ની પેટા ચૂંટણીમાં તા ૧/૧૦ ના સાંજના પાંચ પછી રાત્રે ત્રાજપર -૨ માં આવતા માળીયા વનાળીયામાં ભાજપના ઉમેદવાર દેવજીભાઈ વરણીયા તથા કાર્યકર્તાઓ ઢોલ નગારા સાથે જાહેર રેલી કરીને ભાજપના ખેસ સાથે પ્રચાર કરી ખુલ્લે આમ આચાર સંહિતા ભંગનું ઉલ્લંઘન કરેલું છે જેથી તાત્કાલિક કાર્યવાહી કરવી, આચાર સહિતાના ઉલ્લંઘન બદલ ઉમેદવારને ગેરલાયક ઠેરવવાની જોગવાઈ છે તો તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવાની માંગ કરી છે અને કાલે મતદાનના દિવસે મતદાન મથક અંદર તથા મતદાન મથક બહાર નોન સ્ટોપ સવારે ૭ વાગ્યા થી સાંજ ના ૬ વાગ્યા સુધી વિડિયો શુટીંગ કરવાની માંગ કરી છે






Latest News