ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પંચાયતની પેટા ચુંટણીમાં ભાજપ દ્વારા આચારસંહિતાની ઐસીતૈસીઃ શુક્રવારે મોડી રાતે વાજતે ગાજતે પ્રચાર !, કોંગ્રેસે કરી ફરીયાદ


SHARE











મોરબી તાલુકા પંચાયતની ૨૬ -ત્રાજપર - ર બેઠકની ચુંટણી માટે કાલે મતદાન થવાનું છે તે પહેલા આજે જીલ્લા ભાજપ દ્વારા આંચાર સહિંતાનો ભંગ કરીને ગઇકાલે મોડી રાત સુધી વાજતે ગાજતે ચુંટણી પ્રચાર કરાયો હતો જેથી ભાજપના ઉમેદવારને ગેરલાયક ઠરાવવાની આચાર સંહિતા ભંગની મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે માંગ કરેલ છે 

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઇ પટેલ દ્વારા ચુંટણી અધિકારીને લેખિતમાં આચારસંહિચતા ભંગની રજુઆત કરવામાં આવી છે જેમા તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકા પંચાયત ૨૬ ત્રાજપર -૨ ની પેટા ચૂંટણીમાં તા ૧/૧૦ ના સાંજના પાંચ પછી રાત્રે ત્રાજપર -૨ માં આવતા માળીયા વનાળીયામાં ભાજપના ઉમેદવાર દેવજીભાઈ વરણીયા તથા કાર્યકર્તાઓ ઢોલ નગારા સાથે જાહેર રેલી કરીને ભાજપના ખેસ સાથે પ્રચાર કરી ખુલ્લે આમ આચાર સંહિતા ભંગનું ઉલ્લંઘન કરેલું છે જેથી તાત્કાલિક કાર્યવાહી કરવી, આચાર સહિતાના ઉલ્લંઘન બદલ ઉમેદવારને ગેરલાયક ઠેરવવાની જોગવાઈ છે તો તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવાની માંગ કરી છે અને કાલે મતદાનના દિવસે મતદાન મથક અંદર તથા મતદાન મથક બહાર નોન સ્ટોપ સવારે ૭ વાગ્યા થી સાંજ ના ૬ વાગ્યા સુધી વિડિયો શુટીંગ કરવાની માંગ કરી છે






Latest News