વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદથી જોધપર જતા રસ્તે બે બાઈક સામસામા અથડાતા બે યુવાનોને ઈજા


SHARE











મોરબીના ભડીયાદથી જોધપર જતા રસ્તે બે બાઈક સામસામા અથડાતા બે યુવાનોને ઈજા

મોરબીના ભડીયાદ ગામેથી જોધપર જતા રસ્તે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બે બાઈક સામસામા અથડાવવાના બનેલ બનાવમાં બે યુવાનોને ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના ભડીયાદ ગામેથી જોધપર ગામ જવાના રસ્તે સામસામા બે બાઈક અથડાવવાનો અકસ્માત બનાવ બન્યો હતો આ અકસ્માત બનાવમાં દિપક શિવમભાઈ ચાવડા (ઉમર ૨૫) રહે.રફાળેશ્વર અને મગન રમેશભાઈ ઉભડિયા (ઉંમર ૨૩) રહે.નવાગામ વાળાઓને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા અને આ બનાવની જાણ થતા તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

રીક્ષા અકસ્માત

મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી નજીક આવેલ ગોપાલ કાટાની બાજુમાં રહેતા સુરજકુમાર ધનપત નામના ૨૨ વર્ષના યુવાનને મોરબીના લાલપર ગામ પાસે વાહન અકસ્માતમાં ઇજા થતા અત્રે આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે સૂરજકુમાર ધનપત નામનો યુવાન રિક્ષામાં બેસીને લાલપર ગામે એલપીજી ગેસ યુનિટ નજીકથી જતો હતો ત્યારે રીક્ષા અજાણ્યા વાહન સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં તેને ઈજા થઈ હતી જે બનાવ અંગે તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

ફીનાઇલ પી જતા સારવારમાં

મોરબીના શક્તિ પ્લૉટ વિસ્તારમાં ભૂલથી ફિનાઈલ પી જવાના બનાવમાં જગાભાઈ સતાભાઈ જીંજરિયા (ઉમર ૫૩) રહે.ત્રાજપર અને મુન્નાભાઈ વસુનિયા (ઉમર ૩૫) રહે.દલવાડી સર્કલને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના મકનસર ગામે ગોકુલનગર વિસ્તારમાં રહેતા રવિ મહાદેવભાઇ ધરોડીયા નામના ૨૯ વર્ષના યુવાનને રાત્રિના વાવડી રોડ કબીર આશ્રમ પાસે બાઈક લઈને જતા સમયે બાઇક ગાય સાથે અથડાવાના બનાવમાં ઈજા થતા સારવારમાં લાવવામાં આવ્યો હતો.






Latest News