મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આગામી રવિવારે યોજાશે સરસ્વતી સન્માન સમારોહ


SHARE











મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આગામી રવિવારે યોજાશે સરસ્વતી સન્માન સમારોહ

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આગામી તા ૫ ના રોજ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સન્માન સમારોહમાં મોરબી શહેરમાં રહેતા અને ગુજરાતી તેમજ અંગ્રેજી મધ્યમમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે જેથી મોરબીમાં રહેતા પરિવારના વિદ્યાર્થીઓ અને તેના પરિવારજનોને કાર્યક્રમમાં આવવા માટે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ ના અધ્યક્ષ તેમજ પ્રમુખ સહિતની ટીમે આમંત્રણ આપેલ છે

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતા અને પ્રમુખ રવિન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યુ છે કે, મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે આગામી તા ૫ ને રવિવારના રોજ મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ તેજસ્વિતા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અધ્યક્ષ તરીકે સાંસદ રામભાઇ મોકરિયા, મુખ્ય મહેમાન તરીકે નીલંબરીબેન દવે અને કલેક્ટર જી.ટી. પંડ્યા હાજર રહેશે તે ઉપરાંત અનિલભાઈ મહેતા. ભૂપતભાઈ પંડ્યા, કે.સી. દવે અને એચ.એલ. અજાણી હાજર રહેવાના છે આ કાર્યક્રમ બપોરે ચાર વાગ્યાથી શરૂ થશે કેજીથી લઈને ઉચ્ચ અભ્યાસ સુધીના અભ્યાસમાં પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે તેમજ માર્ક શીટ આપેલ હશે તે તમામ વિદ્યાર્થીઓને સન્માનપત્ર અને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતા, પ્રમુખ રવિન્દ્રભાઈ ત્રિવેદી અને મહામંત્રી અમૂલભાઈ જોશી, કેયુરભાઈ પંડ્યા, મિલેશભાઇ જોશી અને કમલભાઇ દવે સહિતની તેની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે






Latest News