મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામે ટ્રક હડફેટે ચડી ગયેલ યુવતી રાજકોટ ખસેડાઇ 


SHARE











મોરબીના લક્ષ્મીનગર ગામે ટ્રક હડફેટે ચડી ગયેલ યુવતી રાજકોટ ખસેડાઇ 

મોરબીના માળીયા હાઈવે ઉપર લક્ષ્મીનગર ગામ પાસે આજે વહેલી સવારના ટ્રકચાલકે રોડક્રોસ કરી રહેલી યુવતીને હડફેટે લીધી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવતીને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માળીયા હાઇવે ઉપર લક્ષ્મીનગર ગામ પાસે આવેલી રામદેવ હોટલ નજીક આજે તા.૨-૧૦ ના સવારે સાતેક વાગ્યાના અરસામાં અજાણ્યા ટ્રકના ચાલકે મંજુબેન ધનાભાઈ સોલંકી નામની ૧૭ વર્ષીય યુવતીને હડફેટે લેતા ગંભીરપણે ઈજાગ્રસ્ત થયેલ મંજુબેન સોલંકી નામની યુવતીને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવી હતી જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને હાલત નાજુક જણાતાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ છે.બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

ટ્રક પલ્ટી જતા એકને ઈજા

મોરબી નજીક ટીંબડી ગામના પાટીયા પાસે આજે વહેલી સવારે ત્રણેક વાગ્યે ટ્રક પલ્ટી મારી ગયો હતો જેથી કરીને અમૃતભાઈ હરજીભાઈ ચૌધરી (ઉમર ૪૪) નામના રાજસ્થાના રહેવાસી યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં અહિંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

આધેડનું મોત

મૂળ ધાંગધ્રાના રહેવાસી અને હાલ મોરબીના સનફેમ સિરામિક રંગપર (બેલા) નજીક જેતપર રોડ ઉપર રહીને મજૂરીકામ કરતા સામજીભાઈ લાલજીભાઈ ચાવડા (ઉમર ૫૦) નામના આધેડને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં તપાસ્યા બાદ તબીબે તેઓને મૃત જાહેર કરીને તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી જેના પગલે બીટ જમાદાર આર.બી.વ્યાસે તપાસ હાથ ધરતા ખુલ્યુ હતુ કે સામજીભાઇ ચાવડાનું હાર્ટ એટેકને લીધે મોત નિપજેલ છે.






Latest News