મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલમાં પત્ની સાથે થયેલા ઝઘડાનો ખાર રાખીને યુવાનને બે શ્ખ્સોએ માર માર્યો


SHARE











વાંકાનેરના માટેલમાં પત્ની સાથે થયેલા ઝઘડાનો ખાર રાખીને યુવાનને બે શ્ખ્સોએ માર માર્યો

વાંકાનેરમાં માટેલ ગ્રામ પંચાયત પાસે યુવાનની પત્ની સાથે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને બે શ્ખ્સોએ યુવાનને માર માર્યો હતો જેથી ભોગ બનેલા યુવાને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માટેલ શીતળાધાર વિસ્તારમાં રહેતા દીપકભાઇ વાઘજીભાઇ છત્રોટીયા જાતે કોળી (ઉ.૩૨)એ હાલમાં અશોકભાઇ લાખાભાઇ ચૌહાણ અને શક્તિ ઉર્ફે સતીષ અશોકભાઇ ચૌહાણ રહે. બંને માટેલ વાળાની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરીયાદની પત્નિ સાથે આરોપી શક્તિને અગાઉ ઝઘડો થયેલ હતો જેનું મનદુઃખ રાખી આ કામના આરોપીઓએ ફરીયાદી યુવાનને ભુંડાબોલી ગાળો આપી ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે શક્તિએ લોખંડના પાઇપ વડે ફરીયાદીને જમણા પગમાં નળાના ભાગે ફેક્ચર જેવી ઇજા કરી હતી હાલમાં પોલીસે આઇપીસી કલમ  ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

યુવાનની લાશ મળી

લાલપર રાધે હોટલની પાછળ ગોડાઉન પાસે યુવાની લાશ હોવાની માહિતી મોરબી તાલુકા પોલીસને આપવામાં આવી હતી અને મૃતક રમેશભાઇ જાલમસીંગ ગુંદેલા (ઉ.૪૫) રહે. ત્રાજપર મોરબી વાળો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની તપાસ એ.એસ.આઇ. જે.પી. કણસાગરા કરી રહ્યા છે






Latest News