ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના કોયલી ગામે ઝેરી દવા પી જતાં યુવાન રાજકોટ ખસેડાયો


SHARE











મોરબીના કોયલી ગામે ઝેરી દવા પી જતાં યુવાન રાજકોટ ખસેડાયો

મોરબી તાલુકાના કોયલી ગામે રહેતા અને મજુરીકામ કરતા યુવાને ઝેરી દવા પી લીધી હતી જેથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, તાલુકાના કોયલી ગામે વાડી વિસ્તારમાં રહીને મજુરીકામ કરતા અને મૂળ છોટાઉદેપુર જિલ્લાના જલોદા ગામના રહેવાસી અક્ષય દિનેશભાઈ નાયક નામના ૨૦ વર્ષીય અપરિણીત યુવાને તા.૩૦ ની મોડી રાત્રીના ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ નાજુક હાલત જણાતા અક્ષયને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે બનાવના પગલે તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના લાતી પ્લોટ નજીક આવેલા જોન્સનગર વિસ્તારમાં રહેતા રજિયાબેન સોહેલભાઈ કોરડીયા નામની ૨૮ વર્ષીય મહિલા ટંકારાથી પરત મોરબી આવતા હતા ત્યારે લજાઈ નજીક રિક્ષા પલ્ટી જવાના બનેલ બનાવમાં ઇજાગ્રસ્ત થયા હતા જેથી કરીને રજિયાબેન સોહેલભાઈને અહિંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.જ્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં આવતા કોંઢ ગામના રહેવાસી ગોબરભાઇ અણદાભાઈ હડીયલ નામના ૭૩ વર્ષીય વૃદ્ધ બાઈકના પાછળના ભાગે બેસીને ખેતરેથી પરત ઘરે જતા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત ગોબરભાઇ હડીયલને પણ અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલી હરિઓમ સોસાયટીમાં રહેતા કિરણબેન રમેશભાઈ ઠાકોર નામની ૨૪ વર્ષીય મહિલાને તેના ઘરની પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી ગત મોડી રાત્રીના બારેક વાગ્યાના અરસામાં કિરણબેન ઠાકોરને અહીંની સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા જેને પગલે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News