મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી અધ્યયન મંડળ દ્વારા ભારતીય સંસ્કૃતિનો વિશ્વ સંચાર: બૌદ્ધિક વર્ગ યોજાયો


SHARE







મોરબી અધ્યયન મંડળ દ્વારા ભારતીય સંસ્કૃતિનો વિશ્વ સંચાર: બૌદ્ધિક વર્ગ યોજાયો

હિન્દુ સંવત્સર મહિનાના દર ચોથા ગુરુવારે અધ્યયન મંડળ દ્વારા રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી સમાજ જીવનને સ્પર્શતા વિવિધ વિષયોનું તાત્વિક અને વ્યાવહારિક અધ્યયન, અનુસંધાન અને સાહિત્ય નિર્માણ થાય તેવા ઉદ્દેશથી એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરવામાં આવે છે

મોરબીમાં માસિક બૌદ્ધિક વર્ગમાં પૂરાં વિશ્વમાં ૫૧૬૦ વર્ષ પહેલાં એટલે મહાભારતના યુદ્ધ પહેલાં વૈદિક સંસ્કૃતિ અસ્તિત્વમાં હતી. કાળક્રમે વિશ્વના અન્ય દેશોમાં વૈદિક સંસ્કૃતિ કેવી રીતે નાશ પામી અને અત્યારે પણ વિશ્વમાં ભારતીય સંસ્કૃતિના અવશેષો,પૂરાવા, શિલાલેખો, સાહિત્ય પૂરાવાઓની વિશદ છણાવટ કરવામાં આવી હતી, ઉપરોક્ત વિષય અધ્યયન મંડળના સંયોજક ડો. જયેશભાઈ પનારાએ પ્રસ્તુત કર્યો હતો. અધ્યયન મંડળ મોરબીના સહસંયોજક તરીકે વિજયભાઈ રાવલ અને મિલનભાઇ પૈડા દાયિત્વ સંભાળે છે. આ કાર્યક્રમ માટે એપલ હોસ્પિટલ મોરબીના ડોક્ટરોએ વિના મૂલ્યે કોન્ફરન્સ હોલ તથા પ્રોજેક્ટર વગેરે સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી 






Latest News