મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વડીલો પાર્જિત જમીનના કેસમાં કામ ચલાઉ મનાઇ હુકમની અરજી ના મંજુર


SHARE











મોરબીમાં વડીલો પાર્જિત જમીનના કેસમાં કામ ચલાઉ મનાઇ હુકમની અરજી ના મંજુર

મોરબીમાં વડવાની વડીલો પાર્જીત ખેતીની જમીનમાથી હિસ્સો મેળવવા, ગેરકાયેસર બાધકામ અટકાવવા તથા કાયમી મનાઇ હુકમ મેળવવા વિગેરે સબબ દાવો દાખલ કરેલ હતો જેમાં વાદીની મનાઇ હુકમની અરજીને કોર્ટે ના મંજુર કરેલ છે

આ કેસની હકીકત એવી છે કે, વાદી દયારામભાઇ નરશીભાઇ નકુમ રહે. શીયાળની વાડી મોરબી વાળાએ શામજીભાઇ ઘેલાભાઇ નકુમ વિગેરે-૪ પ્રતિવાદીઓ સામે મોરબીની સિવિલ કોર્ટમાં સ્પે.દિવાની કેસ નં-૧૬/૨૦૨૨ દાખલ કરી હતી અને તેમના વડવાની વડીલો પાર્જીત ખેતીની જમીનમાથી હિસ્સો અલગ કરી આપવા, ગેરકાયેસર બાધકામ અટકાવવા તથા કાયમી મનાઇ હુકમ મેળવવા વિગેરે સબબ દાવો દાખલ કરેલ હતો તેની સાથે કામ ચલાઉ મનાઇ હુકમ મેળવવાની અરજી દાખલ કરેલ હતી જે કેસમાં કોર્ટે પ્રતિવાદી વકીલ બી.બી. હડીયલની દલીલો, ચુકાદાઓ તથા રજુ થયેલ આધાર પુરાવા ધ્યાને લઇ વાદીની કામ ચલાઉ મનાઇ હુકમ મેળવવાની અરજી ના મંજુર કરતો હુકમ કરેલ છે






Latest News