ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

લાખ દંડવત કરીએ પણ આંખમાં બીજું કંઈ ભર્યું હોય તો આદર ખતમ થઈ જાય: મોરારિબાપુ


SHARE











લાખ દંડવત કરીએ પણ આંખમાં બીજું કંઈ ભર્યું હોય તો આદર ખતમ થઈ જાય: મોરારિબાપુ

મોરબીમાં ઝૂલતા પુલના દિવંગતોના મોક્ષર્થે યોજાયેલ રામકથાના ત્રીજા દિવસે લલિતકિશોર બાપુ,રાધેકૃષ્ણ બાપુ,પ્રેમ પ્રકાશ સાહેબ જયરામદાસ બાપુ,ગૌચરણજી મહારાજ તેમજ લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને ખૂબ જ વિશાળ સંખ્યામાં રાજકીય નેતાઓ,સંતો-મહંતો સાહિત્યકારો સહિત આખો કથામંડપ ટૂંકો પડે એટલી વિશાળ માત્રામાં લોકોની હાજરીમાં બાપુએ અહીંના પ્રજાપતિ શ્રોતાના ત્રણ પ્રશ્નોથી રામકથાની શરૂઆત કરી હતી આ પ્રશ્ન એવા હતા કે, આપણી ઘરે એક જ સમયે બે જગ્યાએથી આમંત્રણ આવે તો ક્યું આમંત્રણ સ્વીકારવું?, આપણે ત્યાં કોઈ સાધુ-સંત આવે અને કહે કે વરદાન માંગો તો ક્યુ વરદાન માંગવું? અને સાધુ-સંતો આવે તો આદર સત્કારમાં શું કરવું?

આંગણે આવેલા મહેમાનને માન સન્માન આપવાના સાત-આઠ પ્રકાર રામચરિત માનસમાં લખાયેલા છે. સાધુ અથવા દેવતા પછી એ બ્રાહ્મણ દેવતા,પૃથ્વી દેવતા હોય એને કઈ રીતે સન્માન આપવું એ બતાવેલું છે. તુલસીદાસજી આ છંદ લખતા કહે છે કે “રામના વિવાહ પૂરા થયા બાદ જનકજી બધાને વિદાય આપે છે. આખી જાનની વિદાયના સન્માન વખતે લખાયેલું છે. એક-આદર આપવો, આદર હંમેશા આંખોથી અપાય. લાખ દંડવત કરીએ આંખમાં બીજું કંઈ ભર્યું હોય તો આદર ખતમ થઈ જાય. આંખની પાપણે ઝીણા-ઝીણા આંસુના તોરણ દેખાય એ આદર છે. પછી બે-દાન એટલે કે હાર,ફુલ,માળા અથવા હાથમાં હાથ મિલાવે.સાહિત્યમાં તો એ પણ લખાયું છે કે હાથ જોડવાના ૨૪ પ્રકાર છે. ત્રીજું છે-વિનય: વિનય હંમેશા હૃદયથી થાય.વાણીથી તો ઘણાને વિનય આવડે છે.ચોથું છે-બડાઇ:ખોટી બડાઈ નહીં કરવાની,આપબડાઇ પણ નહીં,અન્યની બડાઈ પણ નહીં;પણ ઓછામાં ઓછા શબ્દોથી જીભનો ઉપયોગ કરીને કશું કહેવું.

બાપુએ કહ્યું કે એક સાથે બે આમંત્રણ આવે તો? મહાભારતમાં એનો જવાબ છે:પાંડુ રાજાએ નારદજીને બોલાવ્યા મૂળ,સર્વમાન્ય મહાભારતમાં લખ્યું છે કે રાજસૂય યજ્ઞ કરવાનું કહ્યું એ વખતે દૂતને પત્ર લઈને દ્વારકા મોકલવામાં આવે છે.એ જ વખતે જરાસંઘ નરમેધ યજ્ઞ કરવા માટે ૮૬ જેટલા રાજાને બંદી બનાવ્યા અને એની યજ્ઞમાં બલિ આપવાનો હતો,એનું આમંત્રણ પણ કૃષ્ણ પાસે ગયું. ભગવાન કૃષ્ણને નરલીલામાં અસમંજસતા આવી. એક બાજુ યુધિષ્ઠિરનું બીજી બાજુ વિરોધીનું આમંત્રણ! એ વખતે કૃષ્ણ ઉદ્ધવનો મત લે છે.ઉદ્ધવ,અર્જુન અને કૃષ્ણ લગભગ સમવયસ્ક, સરખા જ દેખાતા પણ હતા.ઉધ્ધવે મત આપ્યો કે:રાજસૂય યજ્ઞમાં બધા રાજાને જીતવા પડે,એમાં જરાસંધ પણ જીતાઈ જાય તો બંદી બનેલા રાજાઓ પણ મુક્ત થાય માટે એનું આમંત્રણ સ્વીકારવું.ઉદ્ધવે સૂચન કર્યું.આથી એવા લોકોની સલાહ લો જેણે કૃષ્ણને સેવ્યો હોય એનો મત લેવાય.

કોઈ સાધુ કહે માંગો તો શું માંગવું? માંગતા આવડવું જોઈએ. અહીં ફરી મહાભારત મદદે આવે છે. દ્રૌપદી ચીર હરણ વખતે દ્રૌપદીનો ભયંકર કરાલ કોષ ક્રોધ ધૃતરાષ્ટ્ર સાંભળે છે અને કહે છે કે, તું અટકી જા,વરદાન માંગી લે. બધી જ પુત્રવધુઓમાં તું શ્રેષ્ઠ છે.પહેલું વરદાન માંગ દ્રૌપદી કહે યુધિષ્ઠિરનો મુગટ સન્માન સાથે પાછો આપો. બીજું વરદાન માંગ! દ્રૌપદીએ કહ્યું સહદેવ નકુલ ભીમ અર્જુન આ ચારેયને હથિયાર અને સન્માન સહિત મુક્ત કરવામાં આવે. જ્યારે ત્રીજું વરદાન માંગ એવું કહ્યું ત્યારે દ્રૌપદી વરદાન માંગતી નથી અને કહે છે કે જે વૈશ્ય હોય,ખેતી,પશુપાલન વેપારનો અધિકારી છે એને ગળથૂથીમાં પીવડાવવામાં આવ્યું છે કે એક જ વરદાન માંગવાનો અધિકાર છે. રાજાને બે વરદાન માંગવાનો અધિકાર છે. બ્રાહ્મણને સો વરદાન માંગવાનો અધિકાર છે.રાજ કુટુંબની મહિલાને ત્રીજું વરદાન માંગવાનો અધિકાર નથી. માટે હું નથી માંગતી.જો માંગ્યું હોત તો કૌરવકૂળને સાફ કરી નાંખી શકત.






Latest News