તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

ટંકારામાં ઢોર ચરાવવા બાબતે બોલાચાલી બાદ મારા મારી: સામસામી ફરિયાદ


SHARE











ટંકારામાં ઢોર ચરાવવા બાબતે બોલાચાલી બાદ મારા મારી: સામસામી ફરિયાદ

ટંકારા તાલુકાના જુના હડમતીયા રોડ ઉપર દેવીપુજક વાસ પાસે યુવાનને રોકીને માલઢોર ચરાવવા બાબતે તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ મારામારી થઈ હતી જે બનાવમાં બંને પક્ષેથી ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈને ગયા હતા અને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના ઉગમણા નાકા પાસે આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ ભગવાનજીભાઈ ખોખાણી જાતે પટેલ (૪૨)એ હાલમાં રોહિતભાઈ સિંધાભાઈ ભરવાડની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તે પોતાનું બાઈક લઈને વાડીએથી ઘર તરફ જતો હતો ત્યારે તેને જુના હડમતીયા રોડ ઉપર દેવીપુજક વાસ પાસે આરોપીએ રોકીને પોતાના માલ ઢોર ચરાવતા માણસોને કેમ માલ ઢોર ચરાવવાની ના પાડે છે તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ ડાબા હાથની આંગળી ઉપર અને ખભા ઉપર લાકડી વડે માર માર્યો હતો જેથી ફરિયાદીને ટચલી આંગળીમાં ફેક્ચર જેવી ઈજા થઈ હતી તેમજ યુવાનને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે તો સામાપક્ષેથી આ બનાવમાં રોહિતભાઈ સિંધાભાઈ ટોડીયા જાતે ભરવાડ (૨૪) રહે. ટંકારા વાળાએ પ્રવીણભાઈ ભગવાનજીભાઈ ખોખાણી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે તેઓ તથા સાહેદ સાહિલે આરોપીની વાડીમાં તેમના માલ ઢોર ચરાવેલ ન હોય તેમ છતાં તેનું નામ દેતા હોવાથી ફરિયાદી આરોપીને સમજાવવા માટે ગયા હતા અને ત્યારે આરોપીએ જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ગાળો આપવાની ના પાડતા લાકડી વડે વાસામાં ભાગે ફરિયાદીને માર માર્યો હતો અને ત્યારે સાહેદ વચ્ચે પડતા તેને કપાળના ભાગે માર મારતા ફૂટ જેવી ઈજા થઈ ગઈ હતી અને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં આ બનાવમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનને સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News