મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે મેળાને માજી સીએમ વિજયભાઈ રૂપાણીના હસ્તે ખુલ્લો મુકાશે


SHARE











મોરબીના રફાળેશ્વર ગામે મેળાને માજી સીએમ વિજયભાઈ રૂપાણીના હસ્તે ખુલ્લો મુકાશે

મોરબી નજીક રફાળેશ્વર ગામે મહાદેવ મંદિરે વર્ષોથી શ્રાવણી અમાસનો મેળો યોજાઇ છે ત્યારે આ વર્ષે જાબુડિયા ગ્રામ પંચાયત અને મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળાને માજી સીએમ વિજયભાઈ રૂપાણીના હસ્તે ખુલ્લો મુકાશે

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાબુડિયા ગ્રામ પંચાયત દ્વારા શ્રાવણી અમાસ નિમિતે રફાળેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં તા. 14 અને 15 એમ બે દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે મેળાને  "શિવતરંગ" નામ આપવામાં આવ્યું છે. અને તે મેળાને માજી સીએમ વિજયભાઈ રૂપાણીના હસ્તે ખુલ્લો મુકાશે ત્યારે સાંસદ મોહન કુંડારિયા કુડારિયા અને વિનોદ ચાવડા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા, દુલર્ભજીભાઈ દેથરીયા અને જીતુભાઈ સોમણી, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, ભાજપના અગ્રણી પ્રદીપભાઈ વાળા સહિતના હાજર રહેશે તેવું યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યુ છે અત્રે ઉલેખનીય છે કે, રફાળેશ્વર મંદિરે પ્રાચીન પીપળે અમાસના દિવસે પિતૃતર્પણનું મહત્વ હોવાથી મોટી સંખ્યામાં લોકો ત્યાં આવે છે 






Latest News