મોરબી : બુઢા અમરનાથ સાહસિક યાત્રાનું આયોજન, જોડાવા અપીલ મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં વરલી જુગારની 4 રેડ ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત વાંકાનેરના વીડી જાંબુડીયા નજીકથી 1.950 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ: 1.22 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ગાળા ગામના પાટીયા પાસે કાર-ટ્રક વચ્ચે અકસ્માત થતાં દંપતી અને તેના બે સંતાનોને ઇજા મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના ટંકારા તાલુકાના સાવડી ગામેથી ૧૪ માસ પહેલા ગોધરાથી ગુમ થયેલ મહિલા મળી આવી


SHARE











મોરબીના ટંકારા તાલુકાના સાવડી ગામેથી ૧૪ માસ પહેલા ગોધરાથી ગુમ થયેલ મહિલા મળી આવી

ટંકારા પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે તેઓએ મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા સાવડી ગામેથી એક મહિલાને શોધી કાઢી હતી અને આ મહિલા છેલ્લા @૪ મહીનાથી ગોધરાથી ગુમ થયેલી હોય હાલ આગળની તપાસ માટે પંચમહાલ જિલ્લા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મહિલાને ગોધરા પોલીસ હવાલે કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.


આ અંગે વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ ટંકારા પોલીસ ટીમને બાતમી મળી હતી કે ગોધરા એ ડીવીઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી ગુમ થયેલ નિશાબેન દિલીપભાઈ ચેલાણી નામની મહિલા કે જે છેલ્લા ૧૪ માસથી ગુમ છે તે નિશાબેન ચેલાણી હાલ ટંકારાના સાવડી ગામે લાલજીભાઈ ઉર્ફે ઓમ અંબારામભાઈની સાથે રહે છે.જેથી બાતમીના આધારે સાવડી ગામે પહોંચીને તપાસ કરવામાં આવતા હોધરાથી ગુમ થયેલ મહિલા નિશાબેન ચેલાણી ત્યાંથી મળી આવી હતી.જેથી તેણીને હસ્તગત કરીને ગોધરા એ ડીવીઝન પોલીસને આગળની કાર્યવાહી અર્થે જાણ કરવામાં આવી હતી.આ કામગીરીમાં ટંકારા પોલીસ મથકના પીએસઆઈ એમ.જે.ધાધલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના વિજયભાઈ બાર, ભાવેશભાઇ વરમોરા, સિદ્ધરાજસિંહ અર્જુનસિંહ વિગેરેએ કરી હતી.

પિતા-પુત્ર સારવારમાં

મોરબીના સામાકાંઠે સોઓરડીમાં આવેલ વરીયાનગર વિસ્તારમાં રહેતા ઉમરભાઈ આરબભાઈ ચાનીયા (ઉંમર ૭૦) અને હનીફભાઈ ઉમરભાઈ ચાનીયા (ઉમર ૪૪) ને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેઓ બંને બાઈકમાં બેસીને જતા હતા ત્યારે સોઓરડી વરીયાનગરમાં આવેલ હનુમાન મંદિર પાસે રસ્તા ઉપરના બમ્પમાં બાઈક સ્લીપ થઈ જવાથી બંનેને ઇજા પહોંચી હોય સારવારમાં ખસેડાયા હતા.જે અંગે હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા સોઓરડી વિસ્તારમાં રહેતા ચિરાગ અમૃતભાઈ સાગઠીયા નામના ૩૨ વર્ષના યુવાનને તેના ઘરે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હોય સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હોવાનું મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોએ જણાવેલ છે.હાલ આ બાબતે બી ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધ થતા તે દિશામાં આગળની તપાસ વાલભા ચાવડા ચલાવી રહ્યા છે.






Latest News