મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના જુના સાદુકળા ગામે બાળવિદુષી રતનબેનની રામદેવ રામાયણ કથાનું આયોજન


SHARE











મોરબીના જુના સાદુકળા ગામે બાળવિદુષી રતનબેનની રામદેવ રામાયણ કથાનું આયોજન

મોરબીના જુના સાદુકળા ગામે શ્રી આધ્ય શકિત માતાજી શકિતધામ જુના સાદુળકા તથા લહેરીયા હનુમાનજી મહારાજના મુખ્ય યજમાન પદે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીજીના શિષ્યા બાળવિદુષી રતનબેનની રામદેવ રામાયણ કથાનું આયોજન કરાયેલ છે. 

મોરબીના જુના સાદુળકા ગામે આવેલ માઁ શકિત આશ્રમ ખાતે આગામી તા.૧૬-૯ થી ૨૨-૯ સુધી કથાનું આયોજન કરાયેલ છે.આ રામદેવ રામાયણ કથામાં અવિનાશી એવા બાબા રામદેવજી મહારાજની પાવન કથા તેમજ ઇતીહાસના પાનાઓમાં અંકીત થયેલા મહાન અવતારી પુરૂષો, જતી-સતી, સંતો-ભકતો અને શુરવિરોના પાવન ચારિત્ર્યનું બાળ વિદુષી રથાકાર રતનબેન તેમની આગવી છટામાં સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે.કથા દરમિયાન દરોજ બપોરે ૧૨-૩૦ કલાકે તેમજ સાંજે ૭-૩૦ કલાકે મહાપ્રસાદનું પણ આયોજકો તરફથી આયોજન કરવામાં આવેલ છે.


કથા અંતર્ગત તા.૧૬-૯ ને શનિવારે સવારે ૮-૩૦ કલાકે પોથીયાત્રા યોજાશે અને શુભ ચોઘડીયે થાંભલી રોપશે અને થાંભલી વધાવામાં આવશે. રાત્રીના આધ્યા શકિત માતાજીનો નવરંગો માંડવો યોજાશે.જેમાં રાવલદેવ જીજ્ઞેશભાઈ ડાક-ડમરની રમઝટ બોલાવશે.તા. ૧૭ ના રોજ નંદ મહોત્સવ, તા.૧૮-૯ ના રોજ રામદેવજી મહારાજ પ્રાગટય, તા.૧૯ ના રોજ ભૈરવ ઉધ્ધાર અને તા. ૨૦-૯ ના રોજ રામદેવજી મહારાજના વિવાહ, તા.૨૧-૯ ના રોજ પાટનો મહિમા ગત ગંગાના ભકતોની કથા, તા.૨૨-૯ ના રોજ રામદેવજી મહારાજ સમાધી અને કથાનો વિરામ થશે.જયારે કથા દરમિયાન તા. ૧૬ ના રાત્રે ૯-૩૦ કલાકે જય સિતારામ સંપુટ સતસંગ મંડળ નાની વાવડી દ્વારા સત્સંગ યોજાશે, તા.૧૭ ના રાત્રે ૯-૩૦ કલાકે કિરણબેનનો સંતવાણીનો કાર્યક્રમ યોજાશે, તા.૧૮ ના રાત્રે ૯-૩૦ કલાકે સંતવાણી કલાકાર મીતલબેન કલોલા (બેબી મિતલ) ભક્તોને પ્રભુ ભક્તિમાં તરબોળ કરશે અને તા.૨૦ ના રોજ રાત્રે ૯-૩૦ કલાકે ભજન તથા સાહીત્ય કલાકાર અનોપસિંહ વાઘેલા ભક્તિરસની રમઝટ બોલાવશે.જેથી આ કથાનો લાભ લેવા મહંત કનુભા રઘુભા ઝાલા અને રામધન આશ્રમ (મહેન્દ્રનગર-મોરબી) દ્વારા મોરબીવાસીઓને જાહેર આમંત્રણ પાઠવેલ છે.






Latest News