મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

માળીયા(મી.) પોલીસે ગેરકાયદે માર મારવાની કોર્ટ સમક્ષ પોલીસ વિરૂધ્ધ ફરીયાદ


SHARE











માળીયા(મી.) પોલીસે ગેરકાયદે માર મારવાની કોર્ટ સમક્ષ પોલીસ વિરૂધ્ધ ફરીયાદ

માળીયા તાલુકાના મોટા દહીંસ૨ા ગામના રહેવાસી કર્મરાજસિંહ મંગળસિહ ઝાલા તથા તેજ ગામના રહેવાસી ક્રિપાલસિંહ વિશુભા જાડેજા વચ્ચે તા.૩-૯-૨૩ ના રોજ મોટા દહીંસ૨ા ગામે રાત્રીના સામસામી મારામારીનો બનાવ બનેલ હોય સદર બનાવમાં કર્મરાજસિંહને બનાવમાં ઈજા થતા મોરબી શ્રીહરી હોસ્પીટલ ખાતે સા૨વા૨મા દાખલ થયેલ અને બીજા દિવસે એટલે કે તા.૪-૯-૨૩ ના રોજ હોસ્પીટલમાંથી રજા આપતા કર્મરાજસિંહ માળીયા પોલીસ સ્ટેશને સદર બનાવના કામે ફરીયાદ આપવા માટે ગયેલ હતા તે સમયે માળીયા પોલીસે આ બનાવમાં સામસામી ફરીયાદ પોલીસે દાખલ કરી સદર બનાવના કામે ક્રોસ ફરીયાદમાં પોલીસે કર્મરાજસિંહને ગુનાના કામે અટકાયત કરેલ અને ગુનો કબુલ ક૨વા લાકડી વડે થર્ડ ડિગ્રીનો ઉપીયોગ કરી ગે૨કાયદેસર માર મારેલ અને આ કર્મરાજસિંહને માળીયાની અદાલતમાં તા.૫-૯-૨૩ ના રોજ રજુ કરતા કર્મરાજસિહ વતી મોરબીના બાહોશ એડવોકેટ બ્રિજેશભાઈ (ટીનાભાઈ) નંદાસણા રોકાયેલ હતા.

માળીયા પોલીસ મથકના વિપુલ ડાંગર તથા રતીલાલ નામના પોલીસ સ્ટાફે પોલીસ સ્ટેશનમાં કાયદો હાથમા લઈને વિના કારણે લાકડી વતી થર્ડ ડિગ્નીનો માર મારેલ તે અંગે માળીયા નામદાર કોર્ટ સમક્ષ ફરીયાદ કરતા નામદાર કોર્ટના જજ એ.કે.સિંધએ ફ૨ીયાદના કામમાં નિવેદન નોંધી તાકીદની અસરથી કર્મરાજસિંહને માળીયા સરકારી દવાખાને સારવાર સબબ તથા ડોકટર સમક્ષ શારીરીક તપાસણીના અર્થે મોકલી આપવા હુકમ કરેલ અને મેડીકલ રીપોર્ટ તાત્કાલીક માળીયાની કોર્ટમા જમા કરાવા હુકમ કરેલ છે.કર્મરાજસિહ મંગળસિહ ઝાલા વતી મોરબીના બાહોશ એડવોકેટ બ્રિજેશભાઈ (ટીનાભાઈ) નંદાસણા રોકાયેલ હતા.પોલીસ સામે માર મારવાની ફરીયાદ નામદાર કોર્ટમાં થતા પોલીસ બેડામાં પણ આ કેસને લઇને ચકચાર મચી જવા પામેલ છે તેમજ આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બનેલ છે.






Latest News