મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સંસ્કૃત વિષયના માધ્યમિક શિક્ષકોની કાર્યશાળા યોજાઇ


SHARE











મોરબી જિલ્લામાં સંસ્કૃત વિષયના માધ્યમિક શિક્ષકોની કાર્યશાળા યોજાઇ

મોરબી જિલ્લામાં બાળકોને સરળતાથી સંસ્કૃત કેમ શીખવી શકાય તે માટે શ્રી સદગુરુ સંસ્કૃત મહાવિધાલય સંસ્કૃત પાઠશાળા ખોખરા હનુમાનધામ બેલા (મોરબી) ખાતે ગુજરાત રાજય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર તથા મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના સંસ્કૃત વિષયના શિક્ષકોની કાર્યશાળા યોજવામાં આવી હતી. જેમાં બાળકોને સહજતાથી સંસ્કૃત કેવી રીતે શીખવી શકાય તે અંગે સમજ આપવામાં આવી હતી.

મોરબી જીલ્લામાં યોજાયેલ સંસ્કૃત વિષયની કાર્યશાળામાં જિલ્લાના ૧૦૦ થી વધુ માધ્યમિક શાળાના સંસ્કૃત વિષય શીખવતા શિક્ષકો હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગરના મદદનિશ અધિકારી પુલકિતભાઈ જોશીએ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડનો પરિચય આપ્યો હતો. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ખાસ ફરજ પરના અધિકારી ડો. કે.કે.કરકરે આગવી શૈલીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને સંસ્કૃત વિશે તેમજ બાળકોને સહજતાથી સંસ્કૃત કેમ શીખવી શકાય તે અંગે વક્તવ્ય આપ્યું હતું.

મોરબી જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકીસંસ્કૃતના વિકાસ માટે આપણે તત્પર બનીએ તેમજ જિલ્લા કક્ષા તરફથી પ્રસન્ન્તા વ્યકત કરીને સંસ્કૃતનું પુનરૂત્થાન થાય તેવી શુભેચ્છા પાઠવી હતી અને કાર્યશાળાના મુખ્ય વક્તા અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ જયશંકરભાઈ રાવલે સંસ્કૃત વિષયની મહત્તા ભાષાની મૃદૂતા, સહજતા, શબ્દભંડોળ, સંસ્કૃતનું સામાજીક સ્થાન સમજાવી વર્ગખંડમાં આ ભાષાનો વ્યાપ વધારવા શિક્ષકોને આહવાન કર્યું હતું. અને આ કાર્યક્રમનું સંચાલન જયદીપભાઈ ઠાકરે કર્યું હતું.






Latest News