ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિદ્યાલયમાં લોકશાહીનું જતન કરવા માટે જીએસ અને મોનિટરની ચુંટણી યોજાઇ


SHARE











મોરબીની ભારતી વિદ્યાલયમાં લોકશાહીનું જતન કરવા માટે જીએસ અને મોનિટરની ચુંટણી યોજાઇ

મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભારતી વિદ્યાલય શાળામાં લોકશાહી પ્રણાલી મુજબ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વર્ગના મોનિટર અને જીએસની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ હતી આ ચૂંટણી પ્રક્રિયામાં શાળાના ધોરણ ૬ થી૧૨ ના કુલ ૪૮ વિદ્યાર્થીએ વર્ગખંડમાં મોનિટર તરીકે ઉમેદવારી નોંધાવી હતી તેમજ ૧૫ વિદ્યાર્થીઓએ શાળાના ૬ થી ૮ અને ૯ થી ૧૨ ના માધ્યમમાં GS (જનરલ સેક્રેટરી) માટે પોતાનું નામાંકન કરાવ્યુ હતું

આ ચૂંટણી જૂની અને વિશ્વસનીય પદ્ધતિ એટલે કે બેલેટ પેપરથી કરવામાં આવેલ હતી. જેમાં વિદ્યાર્થીને તેમને યોગ્ય લાગતા એક ભાઈ અને એક બેન એમ બંને વ્યક્તિને એક - એક મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો આ પ્રક્રિયામાં શાળાના ધો. ૬ થી ના વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહ અને ઉમંગ થી ભાગ લીધેલ તેમજ સરેરાશ ચૂંટણી મતદાનની ટકાવારી ૮૯.૧૮ % થઇ હતી. જેમાં ધો ૧૨ ના વિદ્યાર્થીઓએ દ્વારા ૧૦૦ % મતદાન કરવામાં આવેલ હતું તો શાળાના પ્રમુખ હિતેષભાઇ મહેતાએ જણાવ્યુ હતું કે, આ ચૂંટણી પ્રક્રિયાથી વિદ્યાર્થીઓને ઘણું જાણવા મળ્યું છે અને ભવિષ્યમાં જ્યારે ૧૮ વર્ષની ઉંમર બાદ મત દેવાનો અધિકાર તેઓને મળશે ત્યારે તેમને આ ઉપયોગી બનશે અને આ તકે શાળા સ્થાપક લાલજીભાઈ મહેતાશાળાના માર્ગદર્શક કિશોરભાઈ જાની અને દિપેનભાઈ ભટ્ટ આવ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા શાળા સ્ટાફ પરિવારે જે જહેમત ઉઠાવી હતી 






Latest News